ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બાળકોમાં કોરોનાથી મોત થવાની શક્યતા ઘણી ઓછી હોય છે. બ્રિટનમાં છેલ્લા 22 મહિના દરમિયાન કરવામાં આવેલા એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. સ્ટડી કરનારી ટીમે જાણ્યું કે કોરોના વાયરસનું સંક્રમણ એવા બાળકો માટે જોખમી છે જે જે બાળકો પહેલાથી જ ગંભીર સમસ્યાઓથી પીડિત છે. આવા બાળકોની કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામવાની શક્યતા વધારે છે.
કોરોનાથી બાળકોના મોતનું કરાયુ વિશ્લેષણ
ADVERTISEMENT
આ અભ્યાસ માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 સુધી કોવિડ-પોઝિટિવના કારણે થયેલા તમામ બાળકોના મૃત્યુનું વિશ્લેષણ કરીને કરવામાં આવ્યો હતો. જો કે, આ આંકડાઓ અંગે રિવ્યુ કરવાનું બાકી છે. લેખકો યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી - સરકારી જાહેર આરોગ્ય એજન્સી - લંડન યુનિવર્સિટી, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ અને NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે.
ADVERTISEMENT
માર્ચ 2020 થી ડિસેમ્બર 2021ના ડેટાનું વિશ્લેષણ
સંશોધકોએ માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 સુધીના ઈંગ્લેન્ડ માટે સક્રિય રાષ્ટ્રીય સર્વેલન્સ ડેટાનું વિશ્લેષણ કર્યું. સક્રિય નેશનલ સર્વેલન્સ કોઈપણ કેસની નજીકથી દેખરેખ રાખવા માટે જાણીતું છે. કોવિડના કિસ્સામાં, સંક્રમણને ધ્યાનમાં રાખીને આંકડા તૈયાર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

કોવિડને કારણે 43.8 ટકા બાળકોના મોત
ADVERTISEMENT
આ દરમિયાન 20 વર્ષથી ઓછી ઉંમરના 185 બાળકો અને યુવકોના મોત થયા હતા. તે તમામ કોવિડ પોઝિટિવ હતા. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આમાંથી માત્ર 81 મૃત્યુ (43.8%) કોવિડને કારણે થયા છે.અભ્યાસમાં, માત્ર પોઝિટિવ રિપોર્ટના 100 દિવસની અંદર થયેલા મૃત્યુની ગણતરી કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ