બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / uk immigration hike rishi sunak chinese indian students statistics data

પ્રવાસ / બ્રિટન જનારાઓની સંખ્યામાં વધારો: માત્ર એક જ વર્ષમાં 5 લાખ લોકોનો ધસારો, સૌથી વધારે ભારતીય

MayurN

Last Updated: 10:48 AM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અન્ય દેશોમાંથી બ્રિટન આવતા માઈગ્રન્ટ્સની સંખ્યા 5 લાખને વટાવી ગઈ છે. ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝામાં 273 ટકાનો વધારો થયો છે.

  • બ્રિટેનમાં માઈગ્રન્ટ્સની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો
  • વર્ષ 2021 થી જૂન 2022 સુધીમાં 5 લાખનો આંકડો વટાવ્યો
  • ભારતથી બ્રિટેન જનારની સંખ્યામાં 273 ટકાનો વધારો થયો

ભારતથી વિદેશ જતા લોકોમાં સૌથી વધુ પસંદ થતો દેશ હોયતો એ બ્રિટેન છે. ત્યારે હવે બ્રિટેનમાં આવનાર સંખ્યામાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે. અન્ય દેશોમાંથી બ્રિટન આવતા માઈગ્રન્ટ્સની સંખ્યા 5 લાખને વટાવી ગઈ છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (ONS) એ વર્ષ 2021 થી જૂન 2022 સુધીના ડેટા જાહેર કરીને આ માહિતી આપી છે. ONS અનુસાર, આ સમયગાળા દરમિયાન યુરોપની બહારથી આવનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વડાપ્રધાન ઋષિ સુનકે આ આંકડાઓ પર નિવેદન જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન સ્થળાંતર કરનારાઓની સંખ્યા ઘટાડવા માટે સંપૂર્ણપણે સમર્પિત છે.

કોવિડ પછી નીયામોમમાં છૂટછાટ આપી હતી
કોવિડ નિયમોમાં આપવામાં આવેલી છૂટછાટ સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં રેકોર્ડ સ્તરે વધારો કરવા પાછળ જણાવવામાં આવી છે. ઓએનએસના આંકડાઓમાં એ પણ બહાર આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન, બ્રિટનમાં વિદેશથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા ભારતના હતા. અગાઉ ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ હતી. ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝામાં 273 ટકાનો વધારો થયો છે.

મોટાભાગના ભારતીયોને કુશળ વર્કર વિઝા મળશે
માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, કુશળ કામદારોની શ્રેણીમાં પણ ભારતીયો એવા છે જેમને યુકેમાંથી સૌથી વધુ સંખ્યામાં વિઝા મળે છે. એક વર્ષમાં ભારતમાંથી 56042 કુશળ કામદારોને યુકેના વિઝા મળ્યા. તે જ સમયે, ભારતીયો એવા હતા જેમને આરોગ્ય અને સંભાળ ક્ષેત્રે પણ વિઝા મળ્યા હતા. આ શ્રેણીમાં જારી કરાયેલા કુલ વિઝામાં ભારતીયોનો હિસ્સો 36 ટકા છે. ONS એ પણ ધ્યાન દોર્યું હતું કે એક વર્ષમાં આવતા સ્થળાંતરકારોમાં નાની બોટમાં દરિયાઈ માર્ગે આવેલા લોકોનો સમાવેશ થતો નથી. અગાઉ વર્ષ 2015માં બ્રિટનમાં સૌથી વધુ 3,30,000 માઈગ્રન્ટ્સ આવવાનો રેકોર્ડ હતો.

આ લોકો બ્રિટેન છોડી રહ્યા છે
એનઓએસના આંકડાઓમાં એ પણ જોવામાં આવ્યું હતું કે એક વર્ષ દરમિયાન યુકે છોડનારા લોકોની સૌથી વધુ સંખ્યા યુરોપિયન યુનિયનમાંથી હતી. પાછલા વર્ષમાં યુકેમાં સ્થળાંતર કરનારાઓમાં યુક્રેનિયનો, અફઘાન અને હોંગકોંગર્સનો પણ સમાવેશ થાય છે. જેઓ યુદ્ધ અને ચીનના ત્રાસને કારણે પોતાનો દેશ છોડી ગયા છે. આ દેશોમાંથી લગભગ 1,38,000 લોકો બ્રિટન આવ્યા હતા.

ઘણી કંપનીઓ યુકે છોડી રહી છે
બ્રેક્ઝિટ ડીલને પણ તેનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, બ્રેક્ઝિટ પછી માર્ચ 2022 સુધીમાં ફાઇનાન્સ સેક્ટરમાંથી માત્ર 7000 નોકરીઓ લંડનથી અન્ય યુરોપિયન દેશોમાં શિફ્ટ થઈ છે. અન્ય એક અંદાજ મુજબ 440 ફાયનાન્સ કંપનીઓએ પણ યુકે છોડી દીધું છે.

બ્રિટનમાં માઈગ્રન્ટ્સનો મુદ્દો ઘણો જૂનો છે
બ્રિટનમાં માઈગ્રન્ટ્સનો મુદ્દો ઘણો જૂનો છે. બ્રેક્ઝિટ પહેલા, લેબર વડા પ્રધાન ડેવિડ કેમરોને સ્થળાંતર કરનારાઓની સંખ્યા ઘટાડવાનું વચન આપ્યું હતું. વચન મુજબ એક વર્ષમાં ઈંગ્લેન્ડ આવતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા એક લાખથી ઓછી થવાની હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ