આધાર જારી કરનારી ઑથોરિટી UIDAIએ ટ્વિટ કરીને પ્લાસ્ટિક અથવા આધાર સ્માર્ટ કાર્ડ/PVC ને લઇને ચેતવણી જારી કરી છે...
જો તમે પણ પ્લાસ્ટિક આધાર કાર્ડ બનાવીને રાખ્યું છે તો સાવધાન થઇ જજો, કારણ કે હવે આ પ્રકારનું આધાર કાર્ડ ચાલશે નહીં. આધાર જારી કરનારી ઑથોરિટી UIDAIએ ટ્વિટ કરીને ચેતવણી જારી કરી છે કે પ્લાસ્ટિક આધાર અથવા આધાર સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડ વેલિડ નથી.
શું છે પ્લાસ્ટિક આધાર કાર્ડના નુકસાન?
UIDAI એ પ્લાસ્ટિક આધાર કાર્ડના નુકસાન જણાલતા એક નિવેદન જારી કર્યું હતું. આ નિવેદનમાં ઑથોરિટીએઅ કહ્યું હતું કે પ્લાસ્ટિક આધાર અથવા સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરશો નહીં. આવા કાર્ડથી તમારી આધાર ડિટેલ્સની પ્રાઇવેસી પર જોખમ છે. UIDAIનું કહેવું છે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ કેટલીક લખત કામ કરતું નથી. એનું કારણ એ છે કે પ્લાસ્ટિક આધારની અનઑથોરાઇઝ્ડ પ્રિન્ટિંગના કારણે QR કોડ ડિસ્ફંક્શનલ થઇ જાય છે. સાથે જ આધારમાં મોજૂદ તમારી પર્સનલ ડિટેલ્સ વગર પરવાનગીએ શેર કરવાનું પણ જોખમ છે.
પ્લાસ્ટિક આધાર બનાવવા માટે ખર્ચ કરવા પડે છે આટલા પૈસા
નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક અથવા પીવીસી શીટ પર આધારના પ્રિન્ટિંગના નામ પર લોકોથી 50 રૂપિયાથી લઇને 300 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. ક્યાંક તો એના કરતા પણ વધારે ચાર્જ લેવામાં આવે છે.
આ આધાર પણ છે વેલિડ
UIDAIએ પોતાના નિવેદનમાં એ વાત પર પણ ભાર આપ્યો છે કે ઓરિજીનલ આધાર ઉપરાંત એક સાધારણ પેપર પર ડાઉનલોડ કરવામાં આવેલ આધાર અને એમઆધાર પૂરી રીતે વેલિડ છે. એટલા માટે તમારે સ્માર્ટ આધારના ચક્કરમાં પડવાની જરૂર નથી. એટલે સુધી કે તમારે કાર્ડ પ્રિન્ટની પણ જરૂર નથી. સાથે જ તમને અલગથી આધાર કાર્ડના સેમિનેશન અથવા પ્લાસ્ટિક આધાર કાર્ડની જરૂર નથી.