યુનિવર્સિટી ગ્રાંટ કમિશને ચીનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને પડોશી દેશ દ્વારા લાગૂ કરવામાં આવેલા કોવિડ સંબંધિત યાત્રા પ્રતિબંધોથી માહિતગાર થવાની સલાહ આપી છે.
ચીનમાં વધી રહ્યો છે કોરોના
કોરોનાના કારણે કેટલાય પ્રતિબંધો લગાવ્યા
યીજીસીએ વિદ્યાર્થીઓને આપી આ સલાહ
ચીનમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે આવા સમયે યુનિવર્સિટી ગ્રાંટ કમિશને ચીનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને પડોશી દેશ દ્વારા લાગૂ કરવામાં આવેલા કોવિડ સંબંધિત યાત્રા પ્રતિબંધોથી માહિતગાર થવાની સલાહ આપી છે. કહ્યું છે કે, તેને લઈને કેટલાય વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે ત્યાં પાછા જઈ શક્યા નથી. યુજીસીએ એવું પણ કહ્યું કે, પ્રતિબંધોમાં કોઈ ઢીલ આપવામાં આવશે નહીં અને ચીની અધિકારીઓએ જણાવ્યું કે, પાઠ્યોક્રમોમાં અભ્યાસ ઓનલાઈન થશે.
યુજીસીએ નોટિસ જાહેર કરી
યુજીસીએ એક સાર્વજનિક નોટિસમાં કહ્યું છે કે, હાલના નિયમો અનુસાર, યુજીસી અને અખિલ ભારતીય ટેકનિકલ શિક્ષણ પરિષદ પૂર્વ અનુમતિ વિના ફક્ત ઓનલાઈન માધ્યમથી કરવામાં આવેલી આવી ડિગ્રી પાઠ્યોક્રમોને માન્યતા નથી આપતી. આ નોટિસ એવા સમયે જાહેર કરવામાં આવી છે, જ્યારે આના પહેલા અમુક ચીની યુનિવર્સિટીઓએ હાલના અને આગામી એકેડમિક વર્ષો માટે અલગ અલગ ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નોટિસ જાહેર કરી છે.
A few Universities in China have started issuing notices for admn to various degree programs for current & upcoming academic yrs.Any prospective student needs to be aware that Chinese Govt imposed strict travel restrictions in wake of COVID&suspended all visas since Nov 2020: UGC pic.twitter.com/0Cme7LgOAa
યુજીસીએ કહ્યું કે, આ સંદર્ભમાં કોઈ પણ સંભવિત વિદ્યાર્થીઓને આ જાણકારી હોવી જોઈએ તે, ચીન સરકારે કોવિડ- 19 ને ધ્યાને રાખીને પ્રતિબંધો લાગૂ કર્યા છે અને નવેમ્બર 2020ના તમામ વિઝા રદ કરી દીધા છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ આ પ્રતિબંધોના કારણે પોતાનો અભ્યાસ ચાલુ રાકવા માટે ચીન પાછા નથી જઈ રહ્યા.
યુજીસીએ ઓનલાઈન અભ્યાસક્રમોને માન્યતા આપતું નથી
તેમણે કહ્યું કે, પ્રતિબંધોમાં કોઈ ઢીલ આપવામાં આવી નથી અને ચીની અધિકારીઓએ જણાવ્યું છે કે, પાઠ્યક્રમોના અભ્યાસ ઓનલાઈન હશે. યુજીસીએ આ નોટિસમાં કહ્યું છે કે, હાલના નિયમો અનુસાર, યુજીસી અને એઆઈસીટીઈ વિના પૂર્વ મંજૂરી ફક્ત ઓનલાઈન માધ્યમથી કરવામાં આવેલા આવા ડિગ્રી અભ્યાસક્રમોને માન્યતા આપતું નથી. તેને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થિઓએ જોઈ જાણીને વિકલ્પ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે અને કહ્યું છે કે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માગો છો, જેથી તેમને રોજગાર અથવા ઉચ્ચતર શિક્ષણમાં આગળ વાંધો ન આવે.