સુરતના ઉધના વિસ્તારમાં શુક્રવાર મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ શખ્સોએ ચાની દુકાનના માલીક પર કર્યુ ફાયરિંગ કર્યુ છે.
સુરતના ઉધનામાં ફાયરિંગ
3 શખ્સોએ ફાયરિંગ કર્યાનો આક્ષેપ
ઘટનાના CCTV આવ્યા સામે
સુરતના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગ
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં નોવા કોમ્પ્લેક્સની સામે શેટ્ટી બ્રધર્સ રેસ્ટોરાંના માલિક રાજુ વાંકોડે પર ત્રણ અજાણ્યા ઈસમો ફાયરિંગ કરવા આવ્યા હતા. અને સેટ્ટી બ્રધર્સના રેસ્ટોરોન્ટના માલિક ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન હોટલમાં રહેલા માણસોએ અજાણ્યા ઈસમોને પકડવાનો પ્રયાસ કરતા ત્રણેયે ભાગવાનું શરૂ કર્યું હતું. જે પૈકી જેના હાથમાં પિસ્તોલ હતી. તેણે પોતાના બચાવમાં ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. છતાં લોકોએ ડર્યા વગર તેને ઝડપીને પકડી પાડ્યો હતો અને માર માર્યો હતો. જ્યારે અન્ય બે ઈસમ ફરાર થઈ ગયા હતા.
અંગત અદાવતમાં ફાયરીંગ કરાયુ હોવાની આશંકા
તમને જણાવી દઈએ કે, આ ફાયરિંગની ઘટના અંગત અદાવતના કારણે જ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ ફાયરિંગ પાછળ માથાભારે પ્રવીણ રાઉત,રાહુલ એપાર્ટમેન્ટના માણસોએ કરાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફિલ્મી ઢબે ફાયરિંગ કરવા આવેલા ઈસમોને લોકોએ ઝડપી પાડી માર મારતા લોહીલુહાણ થયેલા ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરિંગ કરવા આવેલા શખસને માર મારવામાં આવ્યો હતો તેની પાસેથી ઉધના પોલીસે એક ફૂટેલી કારતૂસ તેમજ અન્ય ચાર જીવતા કારતૂસ ઝબ્બે કર્યા હતા. રાજુ વાંકોડે ઉપર ફાયરિંગ કયા કારણથી કરવામાં આવ્યું છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ફરાર ઈસમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.