ડાંડા સિકંદરપુર ગામમાં એક માતાનું મોત રોડ અકસ્માતમાં એ દિવસે થયું જે દિવસે તેની દિકરીના લગ્ન હતા. આ દુઃખદ સમાચારથી લગ્નની ખુશી થોડીવારમાં માતમમાં ફેરવાઈ ગઈ.
માતાનું મોત રોડ અકસ્માતમાં એ દિવસે થયું જે દિવસે દિકરીના લગ્ન હતા
માતાનું સપનું પુરુ કરવા સમયપર વિધિ વિધાન અનુસાર દિકરીએ લગ્ન કર્યા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી એવા સમાચાર સામે આવ્યા છે જેને જાણીને કોઈપણ રડી પડશે. અહીં મોહનલાલગંજના ડાંડા સિકંદરપુર ગામમાં એક માતાનું મોત રોડ અકસ્માતમાં એ દિવસે થયું જે દિવસે તેની દિકરીના લગ્ન હતા. આ દુઃખદ સમાચારથી લગ્નની ખુશી થોડીવારમાં માતમમાં ફેરવાઈ ગઈ.
દિકરીએ માતાના મૃત્યુના સમાચાર સાંભળી લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ જ્યારે તેને યાદ આવ્યું કે આ લગ્ન તેની માતાનું સપનું હતું ત્યારે તેણે સમયપર વિધિ વિધાન અનુસાર લગ્ન કર્યા અને સાસરે ગઈ હતી. બાદમાં તે માના ઘરે પરત ફરી અને તેની માતાને ભીની આંખે વિદાય આપી હતી.
જાણકારી મુજબ ડાંડા સિકંદરપુરની રહેવાસી મુન્ની દેવી મંગળવારે સાંજે લગ્ન સંબંધિત સામાનની ખરીદી કરી બેટરીવાળી રિક્ષામાં ઘરે પરત ફરી રહી હતી. ત્યારે ઈ-રિક્ષા બેકાબૂ થઈ પલટી ગઈ હતી. રિક્ષા મુન્ની દેવીની ઉપર પડી જેના કારણે તેને મૃત્યુ થયું.
જ્યારે પરિવારજનોને ખબર પડી કે મુન્ની દેવીનું મોત થયું છે તો તેઓ રડવા લાગ્યા. પરંતુ દીકરીના લગ્ન એ જ દિવસે હતા અને જાન આવવાની હતી. માતાના મોતના કારણે દુખી દુલ્હને લગ્ન અટકાવી દેવોનો નિર્ણય કર્યો. પરંતુ પરિવારના સભ્યો અને દિકરીને યાદ આવ્યું કે તેની માતાનું સ્વપ્ન હતું કે આ લગ્ન ધામધૂમથી થાય.
આ દીકરીના લગ્ન નિયત સમયે જ તમામ વિધિ સાથે થયા હતા. દીકરીની ઈચ્છા હતી કે તે વિદાઈ પહેલા એક વખત માતાને જોઈ શકે. પરંતુ તેની માતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. તેથી તે માતાને જોયા વગર જ ઘરેથી વિદાય કરી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ બાદ માતાના મૃતદેહને ઘરે લાવવામાં આવતાં પુત્રી સાસરેથી માવતરે પરત આવી હતી અને ભીની આંખે માતાને વિદાય આપી હતી. આ પછી મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.