ઓલ ઇન્ડિયા બેંક એસોશિએશનના નેજા હેઠળ હડતાળ સરકારની જાહેર ક્ષેત્રની બેંકોની કથિત વિરોધી નીતિઓના વિરોધમાં આગામી 28-29 માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું એલાન કર્યું
ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મોડમાં જોવા મળશે.
જાહેર ક્ષેત્રોને મજબુત બનાવવા, બેંકોનું ખાનગીકરણ અટકાવવા માંગ
રાજ્યમાં કુલ 25 હજાર કરોડના વ્યવહારોને થઇ શકે છે અસર
ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મોડમાં જોવા મળશે.
બેંકોના ખાનગીકરણને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. ત્યારે આગામી 28-29મી માર્ચના રોજ નેશનલાઈઝ બેંકોના કર્મચારીઓ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હતાળ પર ઉતરશે તેવી જાહેરાત કરાઈ છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે બે સરકારી બેંકો અને એક વિમા કંપનીનું ખાનગીકરણ કરીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. જાણવા મળી રહ્યું છે કે નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની 8 માગણીઓ મુદ્દે બેંક કર્મચારી સાથે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન તથા સ્વતંત્ર ફેડરેશનના સભ્યો પણ જાહેર ક્ષેત્રોને મજબુત બનાવવા હડતાળમાં જશે.
જાહેર ક્ષેત્રોને મજબુત બનાવવા, બેંકોનું ખાનગીકરણ અટકાવવા માંગ
નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની જે માંગણી છે જેમાં મુખ્યત્વે બેંકોનું ખાનગી કરણ બંધ કરવુ, બેંક લોનની રીકવરી શરુ કરવી, બેંકની થાપણના વ્યાજમાં વધારો કરવો, ગ્રાહકો પર ઊંચા સર્વિસ ચાર્જનો બોજ ન નાખવો, નવી પેન્શન યોજના રોકો- DA લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી, આઉટ સોર્સીંગ બંધ કરી કાયમી ભરતી કરવી, તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા જેવા મુદ્દે બે દિવસીય હડતાળ યોજવામાં આવશે.
રાજ્યમાં કુલ 25 હજાર કરોડના વ્યવહારોને થઇ શકે છે અસર
જાણવા મળી રહ્યું છે કે હડતાળને પગલે કરોડોના ટ્રાન્જેક્શન ખોરવાઈ જવાની શક્યતા જોવામાં આવી રહી છે. માત્ર ગુજરાતની કુલ 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાખાઓ હડતાળના કારણે બંધ રહેશે અને કુલ 40000 બેંક કર્મચારીઓ હડતાળમાં ભાગ લેશે. જેના કારણે ગુજરાતમાં રૂ.25000 કરોડના કુલ વ્યવહારોને અસર થશે.
બેંક કર્મચારીઓની 8 માંગણીઓ
1). જાહેર ક્ષત્રોને મજબૂત કરવા
2). બેંકોનું ખાનગીકરણ અટકાવવું
3). બેંક લોનની રિકવરી શરૂ કરવી
4). થાપણ વ્યાજમાં વધારો કરવો
5). ગ્રાહકો પર ઉંચા સર્વિસ ચાર્જ ન નાખવા
6). નવી પેન્શન યોજનાને રોકવી
7). DA લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી
8). કર્મચારીઓનું આઉટ સોર્સિંગ બંધ કરી, કાયમી ભરતીની માંગ