પાટણઃ સાંતલપુરના કોરડા ગામે તળાવમાં બાળકો ડૂબી ગયા છે. તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકોના ડૂબી જતાં તેમના મોત નિપજ્યા છે. સ્થાનિકોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. તળાવ નજીક ગ્રામજનોના ટોળેટોળા વળ્યા હતાં. વધુ બાળકો ડૂબ્યાની આશંકાએ સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જો કે બાળકોના ડૂબવાથી પરિવાર અને ગામમાં અરેરાટી મચી જવા પામી હતી. સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે. બન્ને બાળકોના પરિવારમાં માતમ છવાયો છે.
મહત્વનું છે કે રોજ બરોજ તળાવ નહેર નદી-નાળા અને દરિયામાં નહાતા બાળકો-યુવકોના ડુબવાની ઘટનાઓ બને છે. અનાયાસે કોઇ બચે છે ત્યારે આ પ્રકારે બાળકોને ઉંડા તળાવો અને નદીમાં નહાવા માટે મોકલવા પરિવાર માટે ખતરો બની શકે છે.