કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપ અને AAPના નેતાઑ એક બાદ એક ટ્વીટર કરી એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે
BJP-AAP વચ્ચે ટ્વીટર વોર
હર્ષ સંઘવીએ દિલ્હીનો વીડિયો કર્યો શેર
લોકોને અશુદ્ધ પાણી મળતુ હોવાનો દાવો
કોઈપણ પક્ષને જે તે સમાજ અને તેનું સંગઠન ચૂંટણીની જીત માટે અસરકારક સાબિત થઈ શકે છે.પાટીદાર હોય, દલિત સમાજ હોય કે પછી હોય આદિવાસી સમાજ. કોઈપણ પાર્ટીની સત્તાનો મદાર જે તે સમાજની વોટબેંકના આધારે નક્કી થાય છે.ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી વિવિધ રાજકીય પાર્ટીઓને સમાજના સહારે વોટ લેવા મજબૂર થવું પડ્યુ છે તે વાસ્તવિકતા છે.ભરૂચમાં આમ આદમી પાર્ટીએ પણ BTP સાથે ગઠબંધન કર્યુ અને ગુજરાતની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરી કહ્યું આપથી ડરી ગયા એટલે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે.તો સામે પક્ષે ભાજપએ પણ કેજરીવાલને આડે હાથ લીધા છે.
ये डर अच्छा है.!
किसी राज्य सरकार के कार्यो पर टिपण्णी करना आम है पर भारतीय जनता पार्टी कार्यकर्त्ताओ की जमीनी स्तर पर जनसेवा की कार्यशैली और सरकार के साथ साथ संगठन की शक्ति को देखकर केजरीवालजी का बौखलाना स्वाभाविक है.!
ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા @ArvindKejriwal આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.
હર્ષ સંઘવીએ શું કહ્યું?
દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ટ્વીટર પર ભાજપ અને AAPના એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ દિલ્હીનો વીડિયો શેર કરી દિલ્હી મોડલનો ભાંડો ફોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમને દિલ્હીમાં લોકોને મળતાં ગંદા પાણીનો વીડિયો શેર કરી દિલ્હી મોડલ પર પ્રશ્નાર્થ ચિન્હો મુકી દીધા હતા. આ વીડિયોમાં મહિલાઓ પોતાની વ્યથા ઠાલવતી જોવા મળી હતી. જેમાં દિલ્હીની મહિલાઓ જણાવી રહી હતી કે, વર્ષોથી દિલ્હીના લોકો જે અશુદ્ધ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે હજુ પણ યથાવત જ છે. સંઘવીએ ઈશારા-ઈશારામાં મીડિયા અને સોશિયલ મીડિયામાં દિલ્હી મોડેલનો ખોટો પ્રચાર થતો હોવાનો દાવો કરી નાખ્યો હતો. તેમના આ ટ્વીટ પર પ્રદેશ AAPના નેતાઓએ પણ વળતા પ્રહારો કર્યા હતા.
महाराष्ट्र के .@CRPaatil गुजरात भाजपा अध्यक्ष है। भाजपा को अपना अध्यक्ष बनाने के लिए एक भी गुजराती नहीं मिला? लोग कहते हैं, ये केवल अध्यक्ष नहीं, गुजरात सरकार यही चलाते हैं। असली CM यही हैं। ये तो गुजरात के लोगों का घोर अपमान है
કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છેઃ પાટીલ
ત્યારે ભાજપ તરફથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વળતો જવાબ આપ્યો છે. અને કેજરીવાલને ખાલિસ્તાની સમર્થન ગણાવતા ટ્વીટ કર્યું છે કે કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, કેજરીવાલ ખાલિસ્તાનની માંગણી કરવાને અધિકાર માને છે. સાથે આપ પાર્ટી પર પલટવાર કરતાં કહ્યું કે ખાલિસ્તાન સમર્થકોને કેજરીવાલ પોતાની પાર્ટીમાં જવાબદારી આપે છે.
ये बहन जी भाजपा की Dilhi की ज़िला सेक्रेटरी है !और ऐसे झूठे विडीओ पेस्ट कर के आप निम्न कक्षा की राजनीति ना करे !आइए हम राजकोट ,बड़ोदा और सौराष्ट्र में जाते है वहाँ लोग पानी से परेशान है ! https://t.co/GnmCEui3EC
સી આર પાટીલના ટ્વીટનો કેજરીવાલે આપ્યો જવાબ
ગુજરાતના સ્થાપના દિવસે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા,.ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરતા તેમને ખાલીસ્તાની સમર્થક ગણાવ્યા હતા.ત્યારે કેજરીવાલે વળતો પ્રહાર કરતા કહ્યું કે પાટીલના બોલવાથી કોઈ ફર્ક નથી પડતો અમે જનતા ચૂંટે છે.ત્યાર બાદ ફરી ભાજપ તરફથી નિવેદન આવ્યું હતુ.કે કેજરીવાલ ડરી ગયા છે અને ભાજપ સામે મુકાબલો કરવાની હિંમત નથી.
ચૂંટણી ટાઈમિંગ પર કેજરીવાલના પ્રહાર
ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થઇ ગયુ છે.આ ગઠબંધનનું મહાસંમેલન ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે યોજાયું હતું.આ આદિવાસી સંમેલનમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની ચૂંટણી વહેલા થવા જઇ રહી છે તેવું નિવેદન આપ્યું છે.આ સાથે કેજરીવાલે ભાજપ AAPથી ડરી રહી હોવાનું જણાવ્યું હતુ.કેજરીવાલે હુંકાર કરતા જણાવ્યું કે પહેલા દિલ્લીમાં સરકાર બનાવી પછી પંજાબમાં અને હવે ગુજરાતનો વારો છે.ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી રહી છે.તેથી AAPને સમય ન મળે તે માટે વહેલા ચૂંટણી કરાવશે.કેજરીવાલે ચૂંટણી ટાઇમિંગને લઇને જણાવ્યુ કે ગમે ત્યારે ચૂંટણી થાય ગુજરાતમાં આ વખતે AAPની સરકાર બનશે