આર્યનખાન કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો
એનસીબીના સાક્ષીનો સનસનીખેજ દાવો
આર્યન ખાનને છોડવા માટે 25 કરોડની લાંચ મગાઈ હતી
8 કરોડ એનસીબી ચીફ વાનખેડેને આપવામાં આવનાર હતા
આર્યન ખાનને છોડવા માટે 25 કરોડની લાંચ મગાઈ હતી
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં થયેલા એક ચોંકાવનારા ખુલાસામાં આ કેસના એનસીબીના સાક્ષી પ્રભાકર સૈલેનો દાવો છે કે આર્યનખાનને છોડવા માટે 25 કરોડ માગવામાં આવ્યાં હતા.
આર્યનખાનના ડ્રગ્સ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કિરણ ગોસાવીના બોડીગાર્ડ રહેલા પંચ પ્રભાકરે એક એફિડેવિટમાં જણાવ્યું કે ગોસાવીએ આર્યનખાનને છોડવા માટે 25 કરોડ રુપિયાની માગ કરી હતી. આ માગ ગોસાવીએ એનસીબી ચીફ સમીર વાનખેડે વતી કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે પંચ પ્રભાકર ક્રુઝ ડ્રગ્સ કેસમાં એનસીબીના સાક્ષી છે.
પૂજા દદલાણી સાથે થઈ હતી મુલાકાત
પ્રભાકરે જણાવ્યું કે મેં કિરણ ગોસાવી અને સેમના નામના એક શખ્સને એનસીબીની ઓફિસ પાસે મળતા જોયા હતા. તેણે દાવો કર્યો કે ગોસાવી અને સેમ લોઅર પરેલ ગયા હતા જ્યાં બ્લૂ કલર એક ગાડી આવી હતી અને તેમાં શાહરુખની મેનેજર પૂજા દદલાણી બેસીને ગઈ હતી.
વાનખેડે આપવામાં આવનાર હતા 8 કરોડ
પ્રભાકરે જણાવ્યું કે ગોસાવી અને સેમ વચ્ચે થયેલી વાતચીતમાં 25 કરોડની વાત આવતી હતી પરંતુ 18 કરોડમાં મામલો સેટલ કરવા તેઓ તૈયાર થયા હતા. કથિત રીતે ગોસાવીએ કહ્યું હતું કે આ 18 કરોડમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવામાં આવશે જ્યારે બાકીના પૈસા બીજા લોકોમાં વહેચી દેવામાં આવશે.