પોતાના નિવેદનો અને ટ્વિટસના કારણે મોટાબાગે ચર્ચામાં રહેતી ટ્વિંકલ ખન્નાએ એક એવું ટ્વિટ કર્યું છે જેના કારણે ચારે બાજુથી ચર્ચા થવા લાગી. ટ્વિંતલના આ ટ્વિટને પ્રધાનમંત્રી સાથે સરખામણી કરીને જોવામાં આવી રહ્યો છે.
વાસ્તવમાં ટ્વિંકલે મેડિટેશન કરતાં પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. પોતાના ફોટાને પોસ્ટ કરતાં ટ્વિંકલે લખ્યું- તમે બધા પ્લીસ સાઇન અપ કરો. છેલ્લા કેટલાક દિવસોથી આટલી બધી આધ્યાત્મિક ફોટા જોયા બાદ હવે હું મેડિટેશન ફોટોગ્રાફી-પોઝિઝ એન્ડ એન્ગલ્સ વર્કશૉપની સીરિઝ શરૂ કરવા જઇ રહી છું. મને લાગે
છે કે વેડિંગ ફોટોગ્રાફી બાદ હવે આ ખૂબ જ ફેમસ થવાનો છે. #AJokeADayMayKeepJillSane'
Folks please sign up-After seeing so many spiritual images in the last few days-I am now starting a series of workshops ‘Meditation Photography-Poses and Angles’ I have a feeling after wedding photography this is going to be the next big thing :) #AJokeADayMayKeepJillSanepic.twitter.com/uYP4FpQvYX
ટ્વિંકલ ખન્નાની આ પોસ્ટને આધ્યાત્મિક ફોટા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. જો કે આ પોસ્ટ કર્યા બાદ ટ્વિંકલ ટ્રોલ પણ થઇ રહી છે. યૂઝર્સ એને એક્ઝિટ પોલ જોયા બાદ બરનોલ લગાવવાની સલાહ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું- જો પહેલા ધ્યાન લગાવ્યું હોત તો કદાચ ફિલ્મો હિટ થઇ જાત.
અક્ષય કુમારે પીએમ મોદીને ટ્વિંકલનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે- ક્યારેક ક્યારેક મને લાગે છે કે ટ્વિંકલ ખન્ના મારી ઉપર જે ગુસ્સો નિકાળે છે એનાથી તમારી પારિવારિક જીંદગીમાં ખુશી રહે છે. ટ્વિંકલ ખન્ના એનો બધો ગુસ્સો મારી પર જ નિકાળે છે. જો કે ત્યારબાદ ટ્વિંકલે પણ ટ્વિટ કરીને પોતાના મંતવ્ય આપ્યા હતા.