યવતમાલની સરકારી હોસ્પિટલમાં ડોકટરો અને આરોગ્ય કર્મીઓની બેદરકારીને લીધે, 12 બાળકોને પોલિયો ડ્રોપને બદલે સેનિટાઇઝર પીવડાવી દેવામાં આવી દેવાયું હતું. જેના પગલે આ બાળકોની હાલત વધુ વણસી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
12 children, under 5 yrs of age, were given drops of sanitizer instead of polio vaccine in Yavatmal. They were admitted to hospital & are well now. A health worker, doctor & ASHA worker will be suspended for probe: Shrikrishna Panchal, CEO, Yavatmal District Council #Maharashtrapic.twitter.com/w1AEj9wjEt
માહિતી અનુસાર આ તમામ બાળકોની ઉંમર 5 વર્ષથી ઓછી છે. આ ચોંકાવનારી ઘટના યવતમાલ જિલ્લાના ઘટનજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બનવા પામી છે. શરૂઆતમાં બાળકોને ઉલટી થવાની શરૂઆત થઈ, ત્યારબાદ તેમની હાલત કથળી હતી. આ ઘટના બાદ હરકતમાં આવતા વહીવટી તંત્રે જવાબદાર તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કરને સસ્પેન્ડ કરી દીધા છે. યવતમાલ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સીઈઓ શ્રીકૃષ્ણ પંચાલે આ ઘટનાની જાણકારી આપી છે.
આ અગાઉ પણ બની હતી બેદરકારીની ઘટના
આ પહેલા મહારાષ્ટ્રની ભંડારા જિલ્લા હોસ્પિટલમાં પણ બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. હોસ્પિટલના બીમાર નવજાત કેર યુનિટમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 10 બાળકોનાં મોત નીપજ્યાં હતાં. અહેવાલો અનુસાર, હોસ્પિટલના માંદા નવજાત બાળકોના કેર યુનિટમાં ધૂમ્રપાન જોયા પછી, જ્યારે નર્સે વોર્ડનો દરવાજો ખોલ્યો, ત્યારે તેણે જોરદાર આગ જોઇ હતી. આ પછી નર્સે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને જાણ કરી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડ હોસ્પિટલના લોકોની મદદથી સ્થળ પર પહોંચી હતી, બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વોર્ડમાં હાજર 17 માંથી 7 બાળકોનો બચાવ થયો હતો.