તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા 12 વર્ષથી અંજલિ ભાભીનો રોલ કરી રહેલી નેહા મહેતાએ હવે શો છોડી દીધો છે. આ માટેનું ખાસ કારણ હવે સામે આવ્યું છે. નેહા મહેતા સિવાય દિશા વાકાણી, રોશન સિંહ સોઢીએ પણ શોને અલવિદા કહ્યું છે. શો છોડવા માટેના કારણો કોઈએ આપ્યા નથી પરંતુ હવે ધીરે ધીરે આ વાતનો પણ ખુલાસો થઈ રહ્યો છે.
આ કારણે નેહા મહેતાએ છોડ્યો શો
મેકર્સ સાથેના ડિસ્પ્યુટના કારણે છોડ્યો શો
રોશન સિંહ સોઢી, દિશા વાકાણી પણ છોડી ચૂક્યા છે શો
શોમાં આવી રહી હતી આવી મુશ્કેલીઓ
મળતી માહિતી અનુસાર નેહા છેલ્લા 12 વર્ષથી આ શોનો એક ભાગ છે. સ્વાભાવિક છે કે તે સેટ પર તેની આસપાસના લોકો પાસેથી પોતાને માટે થોડા આદરની અપેક્ષા રાખે. જો કે, તે થયું નહીં. તેને નાની-નાની બાબતોમાં પરેશાન કરવામાં આવતી હતી. તે ઘણીવાર સેટ પર રડતી હતી.સેટ પર કેટલીક વખત આવી પરિસ્થિતિઓ ઉભી કરવામાં આવતી હતી જ્યાં તેઓ સાચા હોવા છતાં પણ ચુપ રહેવું પડતું. થોડા મહિના પહેલા મેકર્સ અને તેની વચ્ચે તકરાર થઈ હતી અને ત્યારબાદ મેકર્સે કહ્યું હતું કે જો તેઓ કામ કરવા માંગતા ન હોય તો તેઓ ખુશીથી છોડી શકે છે. પોતાનાં સન્માન માટે, નેહાએ શો છોડવાનો નિર્ણય લેવો પડ્યો.
અંજલિ ભાભી એટલે કે નેહા મહેતાએ શો છોડ્યો તેનું કારણ આપતાં એક રિપોર્ટથી ખ્યાલ આવે છે કે તેમને પ્રોડક્શન સાથે કેટલીક મુશ્કેલીઓ હતી. અનેક પ્રયાસો બાદ પણ તેનું સમાધાન થઈ શક્યું ન હતું. આ કારણે તેઓએ શો છોડી દેવાનો નિર્ણય કર્યો છે. જો કે અત્યારે તેઓ શો છોડી ચૂક્યા છે અને તેમના સ્થાનને અન્ય મહિલા સુનૈના ફૈઝદાર રીપ્લેસ પણ કરી રહી છે.
નેહા પાસે છે અન્ય બેકઅપ પ્લાન
અન્ય તરફ એવા પણ ન્યૂઝ છે કે નેહાને કોઈ અન્ય સારો પ્રોજેક્ટ મળી ચૂક્યો છે જેનું શૂટિંગ તે જલ્દી શરૂ કરી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે 28 જુલાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 12 વર્ષ પૂરા કર્યા છે. અંજલિનો રોલ કરનારી નેહા મહેતા શરૂઆતથી આ શોમાં છે. તે સીરિયલમાં તારક મહેતાની પત્નીનો રોલ અંજલિના નામે કરી રહી હતી. શોમાં તે ડાયટ ફૂડને લઈને ચર્ચામાં રહેતી હતી.
નેહા મહેતાએ કહ્યું કે હું અસિત મોદીનું સન્માન કરું છુ અને મને મારા ઈશ્વર પર વિશ્વાસ છે. આ માટે હું ચૂપ રહું છું. મને સારું કામ કરવું છે મહિનાના અંત સુધીમાં હું એક નવી શરૂઆત કરીશ. એક યુવતીની ગરિમા બનાવી રાખવા માટે અને પ્રશંસકોની લાગણી કાયમ રાખવા માટે હું આ શો છોડી રહી છું.