બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / tv popular couple aamir ali anda sanjeeda shaikh get divorced actress get the daughter custody

છૂટાછેડા / TV પર પૉપ્યુલર આ કપલના થયા ડિવોર્સ, એક્ટ્રેસને મળી દીકરીની કસ્ટડી

Premal

Last Updated: 06:59 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીના લોકપ્રિય દંપત્તિ આમિર અલી અને સંજીદા શેખ છેલ્લાં કેટલાય સમયથી અલગ રહે છે. પરંતુ આખરે હવે બંનેના છૂટાછેડા થઇ ગયા છે. બંનેએ 9 વર્ષના પોતાના સંબંધ પર પૂર્ણ વિરામ મુકી દીધુ છે.

  • ટીવીના લોકપ્રિય દંપત્તિ આમિર અલી અને સંજીદા શેખના થયા છૂટાછેડા
  • બંનેએ 9 વર્ષના પોતાના સંબંધ પર મુક્યુ પૂર્ણ વિરામ
  • દીકરીની કસ્ટડી અભિનેત્રીને મળી, બંને ખૂબ પ્રોફેશનલ વ્યક્તિ

ટીવીના લોકપ્રિય દંપત્તિના થયા છૂટાછેડા

બંનેને એક દીકરી પણ છે. જે અત્યાર સુધી બંનેની સાથે રહેતી હતી. ક્યારેક અભિનેત્રી દીકરીની સાથેની તસ્વીરો શેર કરે છે તો ક્યારેક અલી. પરંતુ હાલમાં મળી રહેલા અહેવાલો મુજબ દીકરીની કસ્ટડી સંજીદાને મળી છે. રિપોર્ટસ મુજબ, બંને એકબીજા સાથે અલગ થયા બાદ પોતપોતાના જીવનમાં આગળ વધી ચૂક્યા છે. બંને ખૂબ પ્રોફેશનલ વ્યક્તિ છે. તેથી ક્યારેય આ મુદ્દે બોલ્યા નથી અને આગળ પણ કદાચ જ પોતાના છૂટાછેડાની જાહેરાત કરશે. 

આમિર અને સંજીદાની જોડીને ખૂબ પસંદ કરાઈ 

મહત્વનું છે કે,  આમિર અને સંજીદાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા તેઓ ઘણા વર્ષો સુધી સાથે રહ્યાં. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવતી હતી. તેઓ એકસાથે ઘણા શોમાં દેખાયા છે. સોશિયલ મીડિયામાં પણ બંને એકબીજાની સાથે પોસ્ટ શેર કરતા હતા. પરંતુ પછી વર્ષ 2020થી બંનેના લગ્નજીવનમાં ભંગાણ પડ્યુ હોવાની માહિતી મળતી હતી. એવુ કહેવાતુ હતુ કે બંને અલગ રહે છે અને બાદમાં આ પુરવાર પણ થઇ ગયુ હતુ. સંજીદા અલીને છોડીને પોતાના માતા-પિતા સાથે રહે છે. 

હું પોતાની દીકરીને ગૌરવ મહેસૂસ કરાવવા માંગુ છુ: સંજીદા

મીડિયા રિપોર્ટ મુજબ, છૂટાછેડાના સમાચાર સામે આવ્યાં બાદ બંનેને સંપર્ક કરવામાં આવ્યો તો સંજીદાએ કહ્યું, હું પોતાની દીકરીને ગૌરવ મહેસૂસ કરાવવા માંગુ છુ. તો અલી સાથે આ અંગે વાતચીત કરી તો તેમણે વધારે કશુ કહ્યું નહીં. ફક્ત એટલુ કહ્યું કે હું ઈચ્છુ છુ કે સંજીદાને જીવનની દરેક ખુશીઓ મળે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ