મલયાલમ ટીવી અભિનેતા સબરી નાથનું ગુરુવારે નિધન થઈ ગયું. 43 વર્ષીય અભિનેતાનું મૃત્યુ કાર્ડિયક એરેસ્ટથી થયું છે. તેમને ત્રિવેન્દ્રમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા
ટીવી જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર
43 વર્ષીય અભિનેતાનું કાર્ડિયક એરેસ્ટથી નિધન
અભિનેતા બેડમિંટન રમી રહ્યો હતો. ત્યારે જ તેને હાર્ટ એટેક આવ્યો
એક રિપોર્ટ મુજબ, 43 વર્ષીય અભિનેતા બેડમિંટન રમી રહ્યો હતો. ત્યારે જ તેને હાર્ટ એટેક આવ્યો. ત્યારબાદ તેના મિત્રએ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. સબરીનાથ પરિણીત છે અને તેને બે દીકરીઓ છે. સબરીનાથે તેના કરિયરની શરૂઆત મલયાલમ સીરિયલ મિન્નૂકેટ્ટૂથી કરી હતી. આમાં તેની ભૂમિકા આદિત્યને કારણે તેને ઘર-ઘરમાં ઓળખ મળી. સબરીનાથે અમાલા, સ્વામી અયપ્પન અને શ્રીપદમ જેવી સીરિયલોમાં કામ કર્યું છે.
સેલેબ્સ સોશિયલ મીડિયા પર સબરીનાથને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સીરિયલ નિયુમ નજાનુમના અભિનેતા શિઝુ એ આરએ સબરીનાથનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યુ- મારી ભાવભીની શ્રદ્ધાંજલિ. હજી પણ માનવામાં આવતું નથી.
સબરી સાથે ટીવી સીરિયલમાં કામ કરનારી અભિનેત્રી અર્ચના સુસીલેને પણ એક ફોટો શેર કર્યો અને લખ્યું - માનવામાં નથી આવી રહ્યું. તેની આત્માને શાંતિ મળે. આ સિવાય અભિનેત્રી ઉમા નાયરે પણ ઈમોશનલ પોસ્ટ લખીને શ્રદ્ધાંજલિ આપી છે.
સબરીનાથ છેલ્લા 15 વર્ષથી મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. સબરી આ દિવસોમાં ટીવી સીરિયલ પડાતા પેનકિલીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો હતો. અભિનેતાની સાથે તે એક પ્રશિક્ષિત બેડમિંટન ખેલાડી પણ હતો.