હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે વાસી થયા બાદ પણ તુલસીના પાન ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ સિવાય તુલસીની માળાને લોકો ગળામાં ધારણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીની માળાને કેમ પહેરવામાં આવે છે.
શું તમે જાણો છો કે તુલસીની માળાને કેમ પહેરવામાં આવે છે?
ભગવાન કૃષ્ણના ભક્તો તુલસીની માળા કરે છે ધારણ
તુલસીની માળા પહેરતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન
તુલસીની માળા કેમ પહેરાય છે?
તુલસીની માળાને લઇને માન્યતા છે કે જે આ માળા પહેરે છે તેને નર્કનો ત્રાસ સહન કરવો પડતો નથી. આ સાથે તુલસીની માળા ધારણ કરનારા લોકોને સ્વર્ગમાં સ્થાન મળે છે. આ સિવાય જન્મ-મરણના ચક્કરમાંથી પણ મુક્તિ મળે છે. કહેવાય છે કે તુલસીની માળા પહેરીને સ્નાન કરવાથી દરેક તીર્થોનું ફળ મળે છે. આ જ કારણ છે કે જે લોકો ભગવાન કૃષ્ણના ભક્ત હોય છે, તેઓ તુલસીની માળા ધારણ કરે છે.
આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
તુલસીની માળા પહેરનારા લોકોએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવુ પડે છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ માળાને ધારણ કરે છે તેમણે માંસાહાર ભોજન ના કરવુ જોઈએ. એટલું જ નહીં, તુલસીની માળા ધારણ કરનારા લોકોએ લસણ-ડુંગળી પણ ના ખાવા જોઈએ. કારણકે લસણ-ડુંગળી અને માંસાહારી વ્યંજનોને તામસિક માનવામાં આવે છે. એવામાં ભગવાનની ભક્તિમાં અડચણ ઉભી થાય છે. બીજી તરફ તુલસીની માળા કરવાથી ભગવતી અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરવામાં આવતો નથી. તુલસીની માળા પર ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો શ્રેષ્ઠ મનાય છે.