ભારતીય ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે અને ટેસ્ટ શનિવારે ક્રાઈસ્ટચર્ચમાં ટેસ્ટ સીરીઝની બીજી મેચ રમવાની છે. સીરીઝની પહેલી મેચનાં ભારતની હાર થઇ હતી ત્યારે ક્લીન સ્વીપથી બચવા માટે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. પરંતુ મેચ થાય તે પહેલા કેપ્ટન કોહલી પર મુસીબત આવી પડી છે. ભારતની આબરૂ રાખવા માટે આ મેચ જીતવી અતિઆવશ્યક છે ત્યાં આં મુશ્કેલીથી કોહલી કઈ રીતે બચશે તે જોવાનું રહેશે.
પૃથ્વી શોનું ગુરુવારે કરવામાં આવશે બ્લડ ચેકઅપ
પગમાં તકલીફના લીધે પૃથ્વી અનફીટ સાબિત થાય તો કેપ્ટન કોહલીની તકલીફ વધશે
ન્યૂઝીલેન્ડ સામે શનિવારે રમાશે બીજી ટેસ્ટ મેચ
વિરાટ કોહલી વેલિંગટન ટેસ્ટમાં જેના ખૂબ વખાણ કરી રહ્યા હતા તે ખેલાડી જ કેપ્ટન માટે મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. ભાર્તોય ટીમના ઓપનર બેટ્સમેન પૃથ્વી શોના પગમાં સોજાના કારણે બીજી ટેસ્ટ મેચમાં તેમના રમવા પર આશંકા છે.
એક અખબારનાં અહેવાલ અનુસાર પૃથ્વી શો પોતાના પગમાં તકલીફના કારણે ગુરુવારે બ્લડ ચેકઅપ કરાવશે. શોના પગમાં તકલીફના કારણે બુધવારે તેઓ વોર્મઅપ પ્રેક્ટીસ સેશનમાં પણ તે ભાગ ન લઇ શકયા. જો શોની રીપોર્ટમાં તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવે તો આગામી મેચમાં તે સામેલ થઇ શકશે નહીં. જો પૃથ્વી ટીમમાં સામેલ ન થઇ શકે તો શુભમન ગિલને મોકો આપી શકાય છે.
નોંધનીય છે કે રવિ શાસ્ત્રી શુભમન ગિલ પર સેશન દરમિયાન ખૂબ ધ્યાન આપી રહ્યા હતા. તેમણે ફૂટવર્ક પર ખૂબ ટીપ પણ આપી. જો પૃથ્વી ફીટ ન રહે તો શુભમન ગિલ મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરવા ઉતરી શકે છે. જોકે ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે પૃથ્વી મેચ પહેલાં તંદુરસ્ત થઇ જશે.
20 વર્ષનાં બેટ્સમેન પૃથ્વી શો ન્યૂઝીલેન્ડ સામે વેલિંગટનમાં કંઈ કમાલ કરી શક્યા ન હતા. જે બાદ કેપ્ટન કોહલી તેમનો બચાવ કરતા નજરે પડ્યા,. તેમણે કહ્યું હતું કે પૃથ્વી 8થી 10 વાર આઉટ થાય પછી જ તેનું મૂલ્યાંકન કરી શકાય.