સુરતના વરાછા પાસે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું કરૂણ મોત
સુરતમાં મોટા વરાછા પાસે અકસ્માત
ટ્રકચાલકે બાઈકચાલકને અડફેટે લેતા મૃત્યુ
અન્ય એક વ્યકિત ગંભીર રીતે ઘાયલ
સુરતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે સુરતના મોટા વરાછા તળાવ પાસે ટ્રક અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. બીજી બાજુ આ ઘટના બાદ ટ્રકચાલક ટ્રકને મૂકીને ફરાર થઈ ગયો છે.
સુરતના મોટા વરાછા પાસે ટ્રકે બાઇક ચાલકને લીધો અડફેટે
સુરતના વરાછા વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો છે. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના મોટા વરાછામાં એક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થવા પામ્યો હતો.
ટ્રકચાલક ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
બીજી બાજુ આ ઘટના જાણ આસ-પાસના લોકોને ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. બીજી તરફ આ ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક છોડીને ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. બાદમાં વરાછા પોલીસને આ ઘટના જાણ થતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરતમાં ગઈ કાલે બે અલગ અલગ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ગત રોજ સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે બીજી બાજુ સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક પણ અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.