ગુજરાત પ્રવાસ અંગે આઈઆરસીટીસી તમારા માટે જબરદસ્ત પેકેજ લઈને આવ્યું છે.
સોમનાથ, દ્વારકાની સાથે ફરો SoU ફરવાનો મોકો
6 થી 7 દિવસનું રહેશે ગુજરાત પ્રવાસ પેકેજ
29 ઑક્ટોબરથી 4 નવેમ્બર સુધી માટે ટુર યોજાશે
ભારતીય રેલવેની સહાયકઆઈઆરસીટીસી (IRCTC) ગુજરાતના અમુક મુખ્ય શહેર અને દર્શન સ્થળના પ્રવાસ માટે જબરદસ્ત ઓફર લાવ્યું છે.જેમાં સાત દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક ખ્યાતનામ શહેરોની મુલાકાત કરાવવામાં આવશે. આઈઆરસીટીસીનું આ ગુજરાત પ્રવાસ પેકેજ 6 થી 7 દિવસનું રહેશે. જે ટૂર પેકેજ હૈદરાબાદથી શરૂ થશે. ટૂર પૅકેજ 29 ઑક્ટોબરથી 4 નવેમ્બર સુધી માટે છે.
વિશ્વ વિખ્યાત તીર્થની કરાવાશે મુલાકાત
આ ટૂર પેકેજમાં લોકોને સોમનાથ, દ્વારકા જેવા વિશ્વ વિખ્યાત તીર્થની અને વડોદરા તેમજ રાજકોટ શહેરની મુલાકાત કરાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ પ્રખ્યાત સ્થળોએ લઈ જવામાં આવશે. એટલુ જ નહિ આ ટૂર પૅકેજમાં વિશ્વની સૌથી ઊંચી સ્ટૅચ્યુ ઑફ યૂનિટી જોવાનો પણ લ્હાવો મળશે. જેમાં ફ્લાઈટની ટિકિટ, હોટેલ અને નાશ્તે અને લોકલ ટ્રાન્સપોર્ટના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વ્યક્તિ દીઠ 38,350 થી 28,500 સુધીનો ખર્ચ
આ પેકેજ હેઠળ એક પ્રવાસીને ટિકિટ બુક કરવા માટે ફ્લાઈટ, હોટેલ, નાશ્તે અને લોક ટ્રાન્સપોર્ટ માટે 38,350 રૂપિયા ખર્ચ પેટે ચૂકવવા પડશે. ઉપરાંત જો 29,650 રૂપિયા પ્રતિ વ્યક્તિ આપશે અને ત્રણ લોકો ઘૂમ છે તો 28,500 રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવાના રહેશે. તેમ જણાવાયું છે. જો તમે તમારા પરિવાર સાથે ફેસ્ટિવ ટાઈમમાં ગુજરાત ફરવા માટે પ્લાન તૈયાર કરી રહ્યા છો તો આ બેસ્ટ ઓફર છે.