બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Tomorrow is Mokshada Ekadashi Know how to do Vrata and Puja Ritual to get the grace of Lord Vishnu

ધર્મ / કાલે છે મોક્ષદા એકાદશી! ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા જાણો કઈ રીતે કરશો વ્રત અને પૂજા વિધિ

Arohi

Last Updated: 12:13 PM, 2 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને વ્રત પણ કરવામાં આવે છે. મોક્ષદા એકાદશી પર વ્રત કરવાથી કોઈ પણ પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

  • કાલે છે મોક્ષદા એકાદશી 
  • આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા 
  • જાણો વ્રત માટેના નિયમો 

માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુનું વ્રત પણ કરવામાં આવે છે. જેનાથી ભક્તોને દરેક પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે કારણે આ મોક્ષદા એકાદશીના નામથી પણ ઓળખાય છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોક્ષદા એકાદશીના દિવસે અમુક કાસ ઉપાયો કરવાથી ભક્તોને સુખ-સમૃદ્ધિ અને ધન-ઐશ્વર્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે મોક્ષદા એકાદશી ત્રણ ડિસેમ્બર 2022 શનિવારે આવશે. જોકે ઘણા લોકોને કન્ફ્યુશન છે કે આ એકાદશી ત્રણ ડિસેમ્બરે છે કે 4 ડિસેમ્બરે. માટે અમે તમને જણાવીએ તેની યોગ્ય તારીખ, પૂજાનું મુહૂર્ત અને અમુખ ખાસ ઉપાય. 

મોક્ષદા એકાદશીની સાચી તારીખ અને મુહૂર્ત
મોક્ષદા એકાદશી આ વર્ષે ત્રણ ડિસેમ્બર 2022 એટલે કે કાલે ઉજવવામાં આવશે. આ શનિવારે સવારે 5.39 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે રવિવારે સવારે 5.34 મિનિટ પર સમાપ્ત થશે. મોક્ષદા એકાદશીનું વ્રત 3 ડિસેમ્બરે કરવામાં આવશે અને તેના પારણા 4 ડિસેમ્બર એટલે કે રવિવારે થશે. ભક્ત વ્રતના પારણા 7.05 વાગ્યાથી સવારે 9.09 વાગ્યા સુધી કરી શકે છે. 

આ દિવસે ઉજવાય છે ગીતા જયંતિ 
એવી માન્યતા છે કે આ તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતમાં અર્જુનને કુરૂક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું હતું માટે આ દિવસે ગીતા જયંતી પણ ઉજવવામાં આવે છે. તેની સાથે જ આ તિથિ પર રવિ નામનો યોગ બની રહ્યો છે. જેનાથી આ દિવસનું મહત્વ વધી જાય છે. આ યોગમાં પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. 

મોક્ષદા એકાદશીની પૂજા વિધિ 
મોક્ષદા એકાદશીને દિવસે સવારે ઉઠીને સ્નાન વગેરે કરી ઘરના મંદિરની સફાઈ કરો. મંદિરમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની તસવીર અથવા મુર્તિની સામે દેશી ધીનો દિવો અને ધૂપ કરી વ્રતનું સંકલ્પ લો. ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરો. તેમને ફૂલોની માળા પહેરાવો. ત્યાર બાદ વિધિથી પૂજા કરો. 

પૂજામાં કંકુ, ચંદન, સિંદૂર, તુલસીના પાન અને ફૂલોનો સમાવેશ કરો. ભગવાન વિષ્ણુને મિઠાઈ અને ફૂળોનો ભોગ લગાવો. ત્યાર બાદ કથા સાંભળો. એકાદશીની કથા સાંભળ્યા બાદ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. બીદા દિવસે પૂજા કર્યા બાદ વ્રતના પારણા અને દાન-પુણ્ય કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ