આબુરોડથી અમદાવાદ આવી રહેલી માલગાડી રેલવે ટ્રેક પરથી એકાએક ઉતરી ગઈ હતી. વહેલી સવાલે આ દૂર્ઘટના સર્જાઈ હતી. જોકે સદ્દનસીબે જાનહાની ટળી હતી. 9 જેટલા ડબ્બાને આ દૂર્ઘટનામાં નુકસાન થયું હતું. હાલ રેલ વ્યવહાર ખોરવાય નહીં તેને લઈ કર્મચારીઓ દ્વારા કામગીરી શરૂ કરાઈ છે.
આ ઘટના મામલે મળતી વિગત મુજબ આજરોજ આબુરોડથી અમદાવાદ આવી રહેલી એક માલગાડી રેલવે ટ્રેક પરથી એકાએક ઉતરી જતા રેલ વ્યવહાર ખોરવાયો હતો.
આ અકસ્માતને પગલે આબુ રોડથી અમદાવાદ જતી ટ્રેનો આબુરોડ રોકી દેવામાં આવી હતી. રાજસ્થાન જતી ટ્રેનો પાલનપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. બનાવના પગલે રાજધાની એક્સપ્રેસ પણ પાલનપુરમાં રોકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતનો ભોગ માલગાડી બની હોવાથી એક મોટી જાનહાની ટળી છે. ત્યારે રેલ્વે તંત્રની લાપરવાહી કે કોઇ ગુનાહીત કાવતરુએ તો તપાસ બાદ જ જાણવા મળશે. હાલ સ્થાનિક રેલવે વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.