આમ તો દરેક મહિનામાં આવનારી અમાસ પિતૃની પુણ્યતિથિ છે, પરંતુ આજે અમાસ અને અશ્વિની નક્ષત્રનો અનોખો સંયોગ પિતૃદોષ નિવારણ માટે ઉત્તમ છે. ગોચરમાં ૩૦ એપ્રિલે વક્રી થયેલો શનિ જેમની કુંડલી કે ગોચર ભ્રમણમાં અશુભ અસર સર્જતો હશે તેના માટે આજની અમાસનો દિવસ ઉત્તમ દિવસ છે.
આ માસ એટલે કે, અશ્વિનની અમાસ પિતૃ માટે પરમ ફળદાયી છે. તેને પિતૃ વિસર્જન અમાસ અથવા મહાલયા કહેવામાં આવે છે. જે વ્યક્તિ પિતૃ પક્ષના પંદર દિવસ સુધી શ્રાદ્ધ-તર્પણ વગેરે નથી કરતા તેઓ આવતી આજે પોતાના પિતૃના નામનું શ્રાદ્ધ વગેરે સંપન્ન કરે છે, જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ-તર્પણ, દાન વગેરે આ અમાસના દિવસે કરવામાં આવે છે.
આજે શનિ અને સૂર્ય પિતા અને પુત્ર શુક્રના સ્વામીત્વના ભરની અને અશ્વિની નક્ષત્રમાં છે અને ચંદ્ર મંગળની મેષ રાશિમાં છે, જે કુટુંબનો કર્ક છે. ખાસ કરીને શુક્રની શુભ અસર માટે વિષ્ણુ-લક્ષ્મીપૂજન અને શનિની શુભ અસર માટે શિવપૂજન વિશેષ ફળદાયી રહેશે.