બનાસકાંઠાઃ એશિયાની મોટી ડેરીમાંથી એક એવી બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી થઇ છે. જેને લઈને મતદાન યોજાયું છે. રાજ્યના પૂર્વ મંત્રી એવા શંકર ચૌધરી માટે ચેરમેન પદ જાણવી રાખવા પ્રતિષ્ઠાનો જંગ હતો જે તેઓ જીત ચૂક્યા છે. 2017માં તેઓ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. બાદમાં તેની પાસે હાલ ચેરમેન પદ મહત્વનું માનવામાં આવતું હતું. 2017ની વિધાનસભાની વાવ બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ શંકર ચૌધરી પાસે જિલ્લામાં માત્ર ડેરીની સત્તાનું જ અસ્તિત્વ છે.
ચેરમેન તરીકે ફરીથી શંકરભાઈ ચૌધરીની વરણી કરાઈ છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે માવજીભાઈ દેસાઈની કરાઈ વરણી છે. સર્વ સંમતિથી કરાઈ ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરાઇ છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાતાં સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી છે.
શંકર ચૌધરીના નેતૃત્વમાં ડેરીએ પ્રગતિના અનેક સોપાન સર કર્યા છે. પશુપાલકોને દૂધ વધારો તેમજ હની પ્રોજેક્ટ ભાવ વધારો જેવા અનેક સારા નિર્ણયો કર્યા હોવાથી તેમની ચેરમેન પદે પુન: વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે વાઇસ ચેરમેન માવજી દેસાઇની પણ પુન:વરણી કરવામાં આવી છે.
બનાસડેરીમાં કુલ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો રોજનું 50 લાખ લીટર જેટલું દૂધ ભરાવે છે. જ્યારે ડેરી પણ વાર્ષિક 9 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાની સૌથી મોટી દૂધ ડેરી છે. ત્યારે ફરી ચેરમેન વાઇસ ચેરમેન કોણ બનશે અને શંકર ચૌધરી વિશ્વાસનો મત મેળવવામાં સફળ થશે કે કેમ તે ચૂંટણી બાદ જ ખ્યાલ આવશે.
જો કે તેમના નેતૃત્વનમાં ડેરીનો વિકાસ સારો થયો હોવાથી તેમનો વિજય નક્કી માનવામાં આવી રહ્યો છે. બનાસડેરીમાં કુલ સાડા ત્રણ લાખ પશુપાલકો 50 લાખ લિટર દૂધ ભરાવે છે. જ્યારે ડેરી વાર્ષિક 9 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ભારતની જ નહીં સમગ્ર એશિયાની નંબર વન ડેરી છે.