બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Today, 39 years ago, 70 inches of rain IN Vanthali

તારાજી / આજના દિવસે 39 વર્ષ પહેલા વંથલીમાં પડ્યો હતો 70 ઈંચ વરસાદ, વડીલોને એ દ્રશ્યો હજુ પણ આંખ સામે તરે છે

Vishnu

Last Updated: 10:56 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જ દિવસમાં 70 ઈંચ વરસાદે સર્જ્યો હતો વંથલી અને શાપુરમાં જળપ્રલય. સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા,વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું ખુવારીનું નિરીક્ષણ.

  • વંથલી અને શાપુર જળપ્રલયને આજે 39 વર્ષ પૂર્ણ
  • 22 જૂન 1983ના દિવસે સર્જાયું હતું જળ હોનારત
  • એક જ દિવસમાં 70 ઇંચ વરસાદ ખાબક્યો હતો
  • સેંકડો લોકો અને પશુઓના થયા હતા મોત

આજે બધા વરસાદ ક્યારે આવે ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે.પરંતુ આજથી 39 વર્ષ પહેલા 22 જૂન 1983 ના દિવસે વંથલી વિસ્તારના શાપુર ગામમાં ભયંકર જળ હોનારત સર્જાયું હતું જેમાં એક જ દિવસમાં 70 ઈંચ જેટલા વરસાદ ખાબક્યો હતો અને ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા.જેના દૃશ્યો આજે પણ વડીલોની આખો સામેથી દુર નથી થતાં આ ઘટનાના આજે 39 વર્ષ પૂર્ણ થયા છે. લોકો સતત 2 દિવસ સુધી મકાનના નળિયા, છાપરા અને વૃક્ષો પર ચડી પોતાના જીવ બચાવ્યા હતા. ત્યારબાદ ચોથા દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પહોંચ્યા હતા અને ફક્ત સાત દિવસમાં જ  સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો.

જુઓ કેવી સર્જી હતી તારાજી
આજે બધા વરસાદ ક્યારે આવે ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે.પરંતુ આજથી 39 વર્ષ પહેલા 22 જૂન 1983 ના  વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને શાપુર ગામમાં આ સમયે સર્જાયેલ ભયંકર જળ હોનારત ના દૃશ્યો આજે પણ તે વડીલોની આખો સામેથી દુર થતા નથી.એક જ દિવસમાં 70 ઈંચ જેટલા વરસાદ થી ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા.આ ઘટનાના આજે 39 વર્ષ પૂર્ણ થયા છે.એક જ દિવસમાં 70 ઈંચ વરસાદ થી ચારે તરફ જળબંબાકાર થઈ ગયું હતું.ઓઝત,કાળવો, મધુવંતી અને ઉબેણ નદી ગાંડીતૂર બની હતી. જોત જોતામાં શાપુર અને વંથલીની ગઢની રાંગ કરતા પણ વધુ પાણી ભરાઈ ગયું હતું.લોકો સતત 2 દિવસ સુધી મકાનના નળિયા છાપરા અને વૃક્ષો પર ચડી ને રહ્યા હતા.48 કલાક સુધી પાણી ભરાયેલ રહ્યું હતું.રેલવે લાઇન પણ સંપૂર્ણ પણે નાશ પામી હતી.વીજળી નો પણ એક થાંભલો રહ્યો ના હતો.ટેલીફોનીક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો .અને રસ્તાઓ પણ સંપૂર્ણ પણે તૂટી ગયા હતા 

તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તારાજીથી આવાચક થઈ ગયા હતા
ઘટનાના ચોથા દિવસે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આવી પહોંચ્યા હતા.તારાજી થી આવાચક બની ગયા હતા.સાથે સાથે તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને ટોચના નેતાઓ પણ વંથલી અને શાપુર ગામની મુલાકાતે આવ્યા હતા.ફક્ત સાત દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો.આ હોનારતના આજે 39 વર્ષ થઈ ગયા છતાં આજે પણ તેમના ભયાનક દૃશ્યો આજે પણ ભૂલતા નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ