રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમાંથી જ એક યોજના છે તીર્થગામ અને પાવનગામ. આ યોજના ૨૦૦૪માં અમલમાં આવી હતી. જે ગામમાં ૫ વર્ષ સુધી એકપણ ફોજદારી ગુનો પોલીસ દફતરે નોંધાયો ના હોય તેને તીર્થગામ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ૩ વર્ષ સુધી ગામમાં એક પણ ફોજદારી ગુનો નોધાયો ના હોય તેને પાનવગામ કહે છે.
આ યોજનાઓમાં માત્ર મુદતનો જ તફાવત છે. તીર્થગામમાં પાંચ વર્ષ અને પાવનગામમાં ત્રણ વર્ષની જોગવાઇ છે જે ગામ તીર્થગામ તરીકે જાહેર થાય છે તેને સરકાર બે લાખ રુપીયાની ગ્રાંટ ફાળવે છે જ્યારે પાવનગામને એક લાખ રૂપીયાની ગ્રાંટ ફાળવે છે.
આ યોજનાનો મુખ્ય ઊદ્દેશ ગામમાં રહેતા લોકો વરચે શાંતી, સદભાવના,અને એકતા જળવાઇ રહે અને ગામનો સર્વાગીં વિકાસ થાય તે છે આ યોજના અમલી બની ત્યારે એટલેકે વર્ષ ૨૦૦૪-૦૫માં ૨૯૯ ગામ તીર્થગામ તરીકે જાહેર થયા હતા કારણ કે ત્યારે ગ્રામજનોમાં ઉત્સાહ હતો પરંતુ ત્યારબાદ આંકડામાં ધીમે ધીમે ધટાડો થતો ગયો. છેલ્લા આંકડાના સરવૈયા પર નજર નાંખીએતો આ યોજના નિષ્ફળાતાના કગાર પર ઊભી છે.
૨૦૧૩-૧૪માં તીર્થગામ ૪૧ અને પાવનગામ ૧૭ હતા જયારે ૨૦૧૪-૧૫માં આ આંકડા ૧૫ અને ૧૧ થઇ ગયા હતા. જ્યારે નવાઇની વાતતો એ છે કે ૨૦૧૫-૧૬માં એક પણ ગામ પાવનગામ કે તીર્થગામ તરીકે જાહેર થયું નથી જે જોતા લાગી રહ્યું છે કે સરકારે આ યોજનાની મુદતમાં ધટાડો કરવો પડશે. જો કે તેનાથી કેટલો ફરક પડે છે તે તો કહી શકાય નહીં કારણ કે 14-8-2019 સુધીના લેટેસ્ટ અપડેટ પ્રમાણે અત્યાસ સુધીમાં માત્ર 1224 ગામો જ તિર્થગામ-પાવનગામના લીસ્ટમાં સમાઇ શક્યા છે.
અન્ય એક વાત એ પણ છે કે આટલા વર્ષો પછી પણ હજુ સુધી લોકોને આવી યોજના વીશે ખબર જ નથી. ગ્રામ્યજનોની તો છોડો પરંતુ સરપંચ પણ આવી યોજનાથી અજાણ છે. હવે તીર્થગામ અને પાવનગામ યોજનાની સફળતાની આશા કેવી રીતે રાખી શકાય.