Thursday Remedies: અમે તમને આજે જણાવી રહ્યા છીએ કેસરના જ્યોતિષ ઉપાયો વિશે જેને કરવાથી તમારી ખરાબ કિસ્મત સુધરી શકે છે. તમારા પર સાક્ષાત મહાલક્ષ્મીની કૃપા થઈ શકે છે.
ઔષધીય ગુણ ધરાવે છે કેસર
ઘાર્મિક કાર્યોમાં પણ થાય છે ઉપયોગ
ગુરૂવારના દિવસે આ રીતે કરો કેસરનો ઉપયોગ
આજે ગુરૂવારનો દિવસે ભગવાન વિષ્ણુ અને દેવ ગુરૂ બૃહસ્પતિની પૂજા માટે સમર્પિત છે. પીળા અને કેસરી રંગનો ઉપયોગ ગુરૂવારના દિવસે કરવો શુભ માનવામાં આવે છે. આજે તમને જણાવીએ કે કેસરના જ્યોતિષ ઉપાયો વિશે જેને કરવાથી તમારી ખરાબ કિસ્મત પણ સુધરી શકે છે.
તમારા પર સાક્ષાત મહાલક્ષ્મીની કૃપા થાય છે. તમને ઘરમાં ધન-દૌલતની કોઈ કમી નહીં થાય. કેસર જેટલા ઔષધીય ગુણો વાળું છે તેટલું જ ધાર્મિક કાર્યોમાં પણ તેનો ઉપયોગ થાય છે. આવો જાણીએ તેના ઉપાયો કયા કયા છે.
કેસરના જ્યોતિષ ઉપાય
માથા પર લગાવો કેસરનો તિલક
જો તમને લાગે છે કે તમારૂ ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું તો તમે દેવ ગુરૂ બૃહસ્પતિને મજબૂત કરો. તેનો સૌથી સરળ ઉપાય છે ગુરૂવારના દિવસે કેસરને પાણીમાં મિક્ષ કરી તેને માથા અને ડૂંટી પર તિલક કરો. તેનાથી ગુરૂ ગ્રહ મજબૂત થાય છે અને તમારી કિસ્મતના દરવાજા પણ ખુલી જશે.
કેસની મીઠાઈ કરો દાન
ભાગ્યને પ્રબળ બનાવવા માટે તમે ગુરૂવારના દિવસે પોતાના ગુરૂ કે કોઈ ગરીબ બ્રાહ્મણને કેસરની ખીર કે કેસર વાળી મિઠાઈ દાન કરો. આ પણ એક કારગર ઉપાય માનવામાં આવે છે.
નકારાત્મકતા આ રીતે કરો દૂર
ગુરૂવારના દિવસે કેસર, ગુગળ અને જાવિત્રીને મિક્ષ કરીને તેની ધૂપ કરો. તેને આખા ઘરમાં લઈને જાઓ જો કોઈ બીમાર છે તો તેની ચારે બાજુ 7 વખત તેને ફેવરો. આમ તમારે ગુરૂવારથી પ્રારંભ કરીને 21 દિવસ સુધી કરવાનું રહેશે. આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે. ઘરની ઉન્નતિમાં સકારાત્મક ઉર્જા મદદ કરશે.
માતા લક્ષ્મી થશે કેસરથી પ્રસન્ન
જો તમારી પાસે ધનની કમી છે. તમારા પર માતા લક્ષ્મીની કૃપા નથી થઈ રહી. એવામાં ગુરૂવારના દિવસે એખ સફેદ વસ્ત્રને કેસરથી રંગી દો. તેને માતા લક્ષ્મીની પાસે મુકો. પૂજા કર્યા બાદ તે વસ્ત્રને પોતાના ધન સ્થાન કે તિજોરીમાં મુકો. તમે આ વસ્ત્રમાં રૂપિયા, આભૂષણ વગેરે મુકો. તેનાથી તમને ધનમાં વૃદ્ધિ થઈ શકે છે. તમારા પર માતા લક્ષ્મીની કૃપા થઈ શકે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)