પંચમહાલના ગોધરાના ઓરવાડા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 યુવાનોના મૃત્યુ થયા છે અને 2 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. તો મોરબીમાં સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે.
ગોધરા નજીક ગમખ્વાર અકસ્માતમાં 3 યુવાનોના મોત
ખંભાતના ઉંદેલ ગામના ત્રણ યુવકોને નડ્યો અકસ્માત
ઉજૈઇનથી દર્શન કરી પરત આવતા નડ્યો અકસ્માત
ગોધરાના ઓરવાડાના નંદાપુરા બ્રિજ પરથી કાર પસાર થઇ રહી હતી. આ સમયે અચાકન કારનું ટાયર ફાય્યું હતું. કારનું ટાયર ફાટતા કાર રોંગસાઇડમાં જઇને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને લઇને કારમાં સવાર 3 યુવાનોના મોત થયા જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉજૈઇનથી દર્શન કરી પરત આવતા નડ્યો અકસ્માત
ખંભાતના 5 યુવાનો ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગોધર નજીક આ દુર્ઘટના બની હતી. યુવાનો ખંભાતના ઉંદેલ ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી-માળિયા હાઇવે પર અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ
મોરબી-માળિયા હાઇવે પર રોટરી નગર ગામ નજીક કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા કુલ 5 લોકોના કરૂણ મોત થયા છે. મોરબીના રઘુવંશી લોહાણા સમાજના જાણિતા વકીલ પિયુષ રવેશિયાના પરિવારને અકસ્માત નડ્યો છે. રવેશિયા પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. પિયુષ રવેશિયાના માતા-પિતા, બહેન અને ભાણેજનું મોત થયું છે. તો અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. એક સાથે 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા માર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતને લઇને મુખ્યમંત્રીને સહાય જાહેર કરી છે. અકસ્માતના મૃતકોને ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.
ગોધરા અને મોરબી-માળીયા રોડ પર સર્જાયેલા બન્ને અકસ્માતનું કારણ કારનું ટાયર ફાટવાનું છે. હાલ પ્રાથમિક તારણ અનુસાર કારનું ટાયર ફાટતા કાર બેકાબૂ બનતા આ અકસ્માતો સર્જાયા હતા.