બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / This is the scientific reason why the peak is kept after shaving

મહત્વ / મુંડન કર્યા પછી શા માટે રાખવામાં આવે છે ચોટી ? ચોટી રાખવા પાછળનુ શું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

Khyati

Last Updated: 05:42 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે વિદ્ધાન પંડિતોને કે સંતો મહંતોને માથે ચોટી રાખતા જોયા હશે. નાના બાળકોને પણ મુંડન કરાવ્યા બાદ ચોટી રાખવામાં આવે છે તેની પાછળ છે આ કારણ

  • ચોટી રાખવાનું છે ધાર્મિક મહત્વ
  • સુશ્રૃત સંહિતામાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ
  • ગાયની ખુંધ આકારની ચોટી રાખવાનો ઉલ્લેખ
     

બૌદ્ધ, જૈન, શીખ અને અન્ય ધર્મોની જેમ હિંદુ ધર્મમાં પણ કેટલાક રિવાજો છે. કેટલાક નિયમો ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. જ્યારે કેટલાકનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. તમે ધણા પુરુષોને માથે ચોટી રાખી હોવાનુ જોયુ હશે. જો કે ઘણા લોકો તો શોખથી પણ ચોટી રાખે છે અને શોખથી મુંડન પણ કરાવે છે. લોકો એવુ પણ માને છે કે જે પુરુષો ચોટી રાખે તેઓ કટ્ટર વિચારધારા ધરાવે છે. પરંતુ ચોટી રાખવા પાછળ છુપાયેલુ છે ધાર્મિક મહત્વ. ત્યારે જાણીએ શું છે ચોટી રાખવાનું ખાસ મહત્વ

મુંડન-યજ્ઞોપવિત બાદ કેમ રાખે છે ચોટી

હિંદુ પરંપરા અનુસાર પ્રથમ, ત્રીજા અને પાંચમા વર્ષના અંતે બાળકોનું મુંડન કરવામાં આવે છે. આ દરમિયાન માથામાં કેટલાક વાળ રહી જાય છે જેને વેણી કહે છે. આ વિધિને મુંડન સંસ્કાર કહેવામાં આવે છે. તે સોળ સંસ્કારોમાંથી એક છે. આ ઉપરાંત ચોટી રાખવાના સંસ્કાર યજ્ઞોપવિત કે ઉપનયનમાં પણ કરવામાં આવે છે. મુંડન અથવા યજ્ઞોપવીત માથે જે જગ્યા પર ચોટી રાખવામાં આવે છે તેને  સહસ્ત્રાર ચક્ર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માનવ આત્માનો વાસ હોય છે. બીજી બાજુ, કે વિજ્ઞાન અનુસાર, સહસ્રાર મગજનું કેન્દ્ર છે. અહીંથી બુદ્ધિ, મન અને શરીરના અંગો નિયંત્રિત થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થાન પર શિખર રાખવાથી મગજનું સંતુલન સારું રહે છે.  ચોટી રાખવાથી સહસ્રાર ચક્ર જાગૃત રહે છે.

સુશ્રુત સંહિતામાં તેનો ઉલ્લેખ છે

સુશ્રૃત સંહિતામાં ચોટીનો કેવો આકાર રાખવો તે પણ જણાવવામાં આવ્યુ છે. સુશ્રુત સંહિતા અનુસાર ગાયની ખુંદના આકાર જેવી ચોટી રાખવી જોઇએ જેથી મન અને મગજનું સંચાલન સુવ્યવસ્થિત થાય છે.

ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકાય છે

સુશ્રુત સંહિતા અનુસાર તમામ નાડીઓ માથે ટોચ પર મળે છે. આ સ્થાનને અધિપતિમર્મ કહેવામાં આવે છે. જો ત્યાં ઇજા પહોંચે તો માણસનું મોત થવુ નિશ્ચિત માનવામાં આવે છે.  આ સ્થાન પર સુષુમ્ના નાડીનો સંગમ થાય છે. આ નાડીનો સંબંધ મગજની સાથે સાથે શરીરની તમામ ઇન્દ્રિયો સાથે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ