વૃષભ રાશિના જાતકો માટે એક રત્નને ધારણ કરવો અત્યંત લાભદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ રત્નને ધારણ કરવાથી જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી રહેતી નથી.
વૃષભ રાશિના જાતકો માટે અત્યંત શ્રેષ્ઠ હોય છે આ રત્ન
આ રત્ન ધારણ કરવાથી જીવનમાં કોઈ સમસ્યા રહેતી નથી
ખુશી, સુખ, ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે
વૃષભ રાશિના જાતકો માટે કયો રત્ન છે શ્રેષ્ઠ
રત્ન જ્યોતિષમાં દરેક જાતકને તેની રાશિ મુજબ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. કુંડળીમાં ગ્રહ-નક્ષત્રોની ચાલમાં પરિવર્તન થતુ રહે છે. ગ્રહોના નકારાત્મક પ્રભાવને ખાળવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આવો જાણીએ કે વૃષભ રાશિના જાતકો માટે કયો રત્ન ધારણ કરવો શુભ માનવામાં આવ્યો છે.
વૃષભ રાશિના જાતકો માટે રત્ન
વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્રદેવ છે. શુક્રદેવને ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધી, પ્રેમ અને ઐશ્વર્યના કારક માનવામાં આવ્યાં છે. ઓપલ વૃષભ રાશિના જાતકો માટે સારો માનવામાં આવ્યો છે. કહેવાય છે કે ઓપલ રત્ન ધારણ કરવાથી ખુશી, સુખ, ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. જેના કારણે વૃષભ રાશિના જાતકોને ઓપલ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
જાણો ઓપલ રત્ન અંગે
ઓપલ રત્ન એક પ્રકારની ધાતુથી બનેલુ જેલ છે. જે ન્યુનત્તમ તાપમાન પર કોઈ પણ પ્રકારના ખડકોની તિરાડોમાં જમા થાય છે. આ રત્ન ચુના પત્થર, બલુઆ પથ્થર, અગ્નેય ખડક અને બેસાલ્ટ ખડકની વચ્ચે જોવા મળે છે.
વૃષભ રાશિના જાતકો માટે પન્ના રત્ન ખૂબ ભાગ્યશાળી
ઓપલ રત્ન સિવાય પન્ના એટલેકે એમરલ્ડ રત્નને પણ શુભ માનવામાં આવ્યો છે. વૃષભ રાશિના જાતકો માટે પન્ના રત્ન ખૂબ ભાગ્યશાળી માનવામાં આવ્યો છે. વૃષભ રાશિના જાતકો માટે પન્ના રત્ન ધારણ કરવાથી એકાગ્રતા વધે છે. આ ઉપરાંત આ રત્ન નકારાત્મક પ્રભાવથી પણ બચાવે છે.