પદ્મનાભસ્વામી મંદિર હાલ ભારે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.હાલ મંદિરને મળી રહેલા દાન અને ભેટ સોગાદો તેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા નથી.
ટ્રસ્ટને 25 વર્ષ સુધી ઓડિટ ન કરવા આદેશમાંથી મુક્તિ માંગી હતી
પદ્મનાભ મંદિરનો માસિક ખર્ચ આશરે 1.25 કરોડ છે.
સુપ્રિમ કોર્ટે ત્રણ મહિનામાં ઓડિટ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો
સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ પણે કહ્યું કે ટ્રસ્ટને ઓડિટમાંથી મુક્તિ નથી
સુપ્રિમ કોર્ટે આજે એક મહત્વના નિર્ણયમાં જણાવ્યું હતુ કે, કેરળના પ્રખ્યાત પદ્મનાભસ્વામી મંદિર ટ્રસ્ટનું ઓડિટ કરવામાં આવશે ટ્રસ્ટને 25 વર્ષ સુધી ઓડિટ ન કરવા આદેશમાંથી મુક્તિ માંગતી અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, ટ્રસ્ટને ઓડિટમાંથી ઓડિટમાંથી મુક્તિ નથી. કોર્ટે કહ્યું કે વર્ષ 2020નો આદેશ માત્ર મંદિર જ નહીં ટ્રસ્ટને પણ લાગુ પડે છે.આ સાથે સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનામાં ઓડિટ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. મહત્વનું છે કે, હાલ પદ્મનાભ મંદિર ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. અને મંદિરને અર્પણ કરવામાં આવતી ભેટ સોગાદો મંદિરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પર્યાપ્ત નથી. પદ્મનાભસ્વામી મંદિરની વહીવટી સમિતિએ સુપ્રમી કોર્ટને આ માહિતી આપી છે .
મંદિરની આવક કરતાં ખર્ચા વધારે છે.
મંદિર વહીવટી સમિતિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આર.બંસતે કોર્ટમાં જણાવ્યું હતું કે, હાલ કેરળના તમામ મંદિરો બંધ છે.જ્યારે આ મંદિરનો માસિક ખર્ચ આશરે 1.25 કરોડ છે. તેની સામે હાલમાં માત્ર દાન થકી માત્ર 60-70 લાખ રૂપિયા મળી રહ્યાં છે. આવી પરિસ્થિતીમાં મંદિરને સરળ રીતે ચલાવવું શક્ય નથી. આથી ટ્રસ્ટનું યોગદાન પણ જરૂરી છે. મહત્વનું છે કે, તાજેતરમાં પદ્મનાભસ્વામી મંદિરે કોરોનાને ટાંકીને કેરળ સરકારને 11.70 કરોડ રૂપિયા ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી
ટ્રસ્ટ પાસે ચોક્કસ રકમનો ખ્યાલ મેળવવા માટે ઓડિટની જરૂરી
ટ્રસ્ટના ઓડિટની માંગણી કરતાં વહીવટી સમિતિએ આરોપ લગાવ્યો હતો કે, ટ્રસ્ટ ઓડિટ માટે તેનો રેકોર્ડ પૂરો પાડવા સક્ષમ નથી.કોર્ટના આદેશ પર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. તેથી તેણે મંદિરમાં પણ યોગદાન આપવું જોઈએ. 2013ના ઓડિટ રિપોર્ટ મુજબ ટ્રસ્ટ પાસે 2.87 કરોડની રોકડ અને 1.95 કરોડની સંપત્તિ છે. તેથી અત્યારે ટ્રસ્ટ પાસે ચોક્કસ રકમનો ખ્યાલ મેળવવા માટે ઓડિટની જરૂર છે.બીજી તરફ, ટ્રસ્ટ તરફથી હાજર રહેલા એડવોકેટ અરવિંદ દત્તરે કહ્યું કે ટ્રસ્ટનું ઓડિટ કરવાની જરૂર નથી. આ રાજવી પરિવાર દ્વારા સંચાલિત જાહેર ટ્રસ્ટ છે. તેને મંદિરના વહીવટ સાથે કોઈ લેવાદેવા નથી.