ભગવાન શિવને સૌથી મોટા તપસ્વી અને ભોળા માનવામાં આવે છે. એમને માનનાર લોકોની સંખ્યા અસંખ્ય છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અને પુરાણો અનુસાર ભગવાન શિવ હિમાલયના કૈલાશ માનસરોવર પર વાસ કરે છે. પરંતુ હિમાલયમાં ઓમ પર્વતનું એક વિશેષ સ્થાન છે. માનવામાં આવી રહ્યું છે કે આ જગ્યાએ પણ ભગવાન શિવનું અસ્તિત્વ રહ્યું હશે. આ પર્વત ભારત અને તિબ્બતની સીમા પર આજે પણ મોજૂદ છે જેની પર દર વર્ષે બરફથી ઓમની આકૃતિ બને છે.
જાણીએ ઓમ પર્વતથી જોડાયેલવી કેટલીક અદ્ધુત વાતો
ઓમ પર્વતને કૈલાશ અથવા નાના કૈલાશ પણ કહેવામાં આવે છે. ઓમ પર્વતની ઊંચાઇ દરિયાઇ સપાટીથી 6 191 મીટર છે. હિંદુ માન્યતાઓ અનુસાર હિમાલયમાં કુલ 8 જગ્યાએ ઓમની આકૃતિ બને છે પરંતુ હજુ સુધી માત્ર આ સ્થાનની જ શોધ થઇ છે.
આ પર્વત પર બરફ પડવાથી પ્રાકૃતિક રૂપથી ઓમની ધ્વનિ ઉત્પન્ન થાય છે.