તમારા ઘરમાં શું થાય છે અને શું નહીં એ તમારા ઘરની વાસ્તુ પર ઘણી હદ સુધી નિર્ભર કરે છે. તમારે ક્યાંય જવું હોય અથવા કોઇ કામ કરવું હોય તો તમે વારંવાર ઘડિયાળ તરફ જોવો છો. વાસ્તુમાં એ દરેક વસ્તુઓ કહેવામાં આવે છે જે તમારે કરવાની હોય છે અથવા જેનાથી તમારે બચવાનું હોય છે.
આજે અમે તમને ઘરની દિવાલ પર લાગેલી ઘડિયાળ માટે જણાવીશું કારણ કે આ વાસ્તુના હિસાબથી જો ખોટી દિશામાં અથવા ખોટી જગ્યાએ લાગેલી હોય છે તો તમારા માટે મુસીબત પણ બની જશે.
દક્ષિણ દિશામાં ના લગાવશો ઘડિયાળ
જો તમે ઘરમાં દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાયેલી છે તો એને અત્યારે જ ઊતારી દો. તમારા અને તમારા પરિવાર માટે સારું નથી. એના કારણે તમારા ઘરના મુખ્ય સભ્યના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
દરવાજા ઉપર ના લગાવશો
જો તમારા ઘના કોઇ પણ દરવાજા પર ઘડિયાળ લાગેલી છે તો એને આજે જ ઊતારી દો. આ વાસ્તુશાસ્ત્રના હિસાબથી યોગ્ય નથી. આવું કરવાથી એની નીચેથી પસાર થનાર વ્યક્તિ પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પડે છે.
પૂર્વ દિશામાં લગાડો ઘડિયાળ
ઘડિયાળ માટે સૌથી સારી દિશા પૂર્વ માનવામાં આવી છે. જો તમારા ઘરમાં પૂર્વ દિશામાં ઘડિયાળ છે તો એનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. જો તમે ઘડિયાળ પશ્વિમ દિશામાં લગાવશો તો ઘરના લોકોના મનમાં હંમેશા સકારાત્મક વિચાર આવે છે.
તમને જણાવી દઇએ કે વાસ્તુના હિસાબથી ઘડિયાળ પણ અલગ હોય છે. વાસ્તુમાં એવું માનવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં પેંડુલમ વાળી ઘડિયાળ છે તો તમારા માટે સારી હોય છે. એનાથી લોકોની તરક્કી થાય છે.
બંધ ઘડિયાળ
જો તમારા ઘરમાં કોઇ એવી ઘડિયાળ છે જે ચાલતી ના હોય અને પડી રહેલી હોય. તમારે આવા પ્રકારની ઘડિયાળ તરત નિકાળીને ઘની બહાર ફેંકી દેવી જોઇએ.
તમને જણાવી દઇએ કે વાસ્તુમાં ઘડિયાળના રંગોને લઇને જણાવવામાં આવ્યું છે. તમને ખબર હોવી જોઇએ કે તમારા ઘરમાં કાળા ગ્રીન અને કેસરી કલરની ઘડિયાળ લગાવી જોઇએ નહીં. આ વાસ્તુના હિસાબથી યોગ્ય નથી.
તમને જણાવી દઇએ કે તમારા ઘરમાં ઘડિયાળ ચોકોર અને ગોળ છે તો તમારા માટે ખૂબ સારી વાત છે. આવી ઘડિયાળ તમારા માટે શુભ હોય છે. એને લગાવવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. એનાથી ઘરના લોકોની તરક્કી પણ થાય છે.