બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / these tricks of cinnamon bring money and prosperity

Vastu Tips / તજના આ ઉપાય જીવનમાં લાવશે સુખ-સમૃદ્ધિ, ધનલાભ માટે આ રીતે કરો ઉપયોગ

Arohi

Last Updated: 07:32 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તજ અગ્નિના તત્વ સાથે જોડાયેલું છે અને તે સૂર્ય દ્વારા શાસિત છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે તજના ઉપાયો પણ ખૂબ અસરકારક છે. ચાલો જાણીએ તેમને સંબંધિત ઉપાયો વિશે.

  • તજનો આ રીતે કરો ઉપયોગ 
  • ઘરમાં લાવશે સુખ-સમૃદ્ધિ 
  • જાણો તેના ઉપાયો વિશે 

ગ્રહ-નક્ષત્રોની દશા અને દિશાનો પ્રભાવ દરેક વ્યક્તિ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના ઉપયોગથી ગ્રહોને શાંત કરી શકાય છે. રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા ઘણા મસાલાનો ઉપયોગ તમે ઘરની સુખ-સમૃદ્ધિને વધારવા માટે કરી શકો છો. 

જ્યોતિષ શાસ્ત્રમાં તજનો ઉપયોગ તમારા ઘરની સુખ-સમૃદ્ધિ  અને સમ્પન્નતા માટે પણ કરવામાં આવે છે. તજનો ઉપયોગ મંગળ અને શુક્ર ગ્રહને પણ ઠીક કરે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે તજનો ઉપયોગ કરી શકાય છે. આવો જાણીએ તજના અમુક ખાસ ઉપાય. 

તજના ચમત્કારી ઉપાય

  • જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો, તો તજના ઉપાય તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તજનો પાઉડર બનાવો અને તેની ઉપરથી વિરુદ્ધ દિશામાં અગરબત્તી ફેરવો. આ પછી તમારી આંખો બંધ કરી ધન વૃદ્ધિની કામના કરો.
  • તજના પાવડરને કાગળમાં લપેટીને તમારા પર્સ અથવા તિજોરીમાં રાખો. બાકીના પાવડરને તમારા પૂજા સ્થાન પર રાખો. દર બીજા દિવસે આ પાવડર બદલતા રહો. આનાથી તમારી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ જશે અને તમારી સંપત્તિ વધવા લાગશે.
  • વેપારમાં પ્રગતિ માટે તજના ઉપાય ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તજનો પાઉડર હાથમાં લઈને ઘર, ધંધા કે દુકાનના મુખ્ય દરવાજે અંદર તરફ મોં કરીને ઊભા રહો. હવે આ પાવડરને અંદર ફૂંકથી ઉડાવી લો. આ ઉપાય કરતી વખતે વેપારમાં પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. તેનાથી ધંધામાં ઝડપી સફળતા મળે છે.
  • આર્થિક પ્રગતિ માટે તજ અને નારંગીની છાલને મોટા વાસણમાં ઉકાળો અને તેને ઠંડુ થવા દો. હવે તેને ગાળીને બોટલમાં ભરી લો. હવે આ પાણીને આખા ઘરમાં છાંટો. આ પાણી ઘરના ઝાડ અને છોડ પર પણ છાંટી શકાય છે. આવું કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ