આજે અમે તમને શિયાળામાં કયા ફળોને ડાયટમાં સામેલ કરવા એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શિયાળામાં શરદીથી બચવા માટે આ ફળોનું સેવન કરો
આ ફળોના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
આ ફળોના સેવનથી માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો
ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ શિયાળામાં ઉધરસ, શરદી અને તાવ જેવી ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે અને એવામાં આવી બીમારીથી બચવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે જ આવી બીમારીઓ બચવા માટે ખાવા-પીવામાં વધુ કાળજી લેવાની જરૂર છે. શિયાળામાં શરદીથી બચવા માટે અમુક ફળોનું સેવન કરવું જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને એ ફળોના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આજે અમે તમને શિયાળામાં કયા ફળોને ડાયટમાં સામેલ કરવા એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
નાસપતી - શિયાળાની ઋતુમાં નાસપતી ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. શિયાળાના આ ફળમાં વિટામિન ઇ અને વિટામિન સી હોય છે સાથે જ આ ફળ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. નાસપતી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે.
સફરજન- સફરજનનું સેવન પાચન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. આ સાથે જ સફરજન કબજિયાત અને અપચાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જણાવી દઈએ કે રોજ એક સફરજનનું સેવન કરવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહો છો.
જામફળ- શિયાળામાં કે ઠંડીની ઋતુમાં જામફળનું સેવન કરવું ઘણું લાભદાયક છે. જામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સાથે જ જામફળના સેવનથી શરદી અને ફ્લૂની સમસ્યામાં પણ રાહત મળે છે.
દાડમ - દાડમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે. સાથે જ તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. શિયાળામાં દાડમના રસનું સેવન કરવાથી ઘણી બીમારીઓમાંથી મુક્તિ મળે છે. તે રક્ત પરિભ્રમણ સુધારે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.