દેશમાં ઓછામાં ઓછા 30 જિલ્લા એવા છે જ્યાં કોવિડ 19 પોઝિટિવિટી રેટ 10 ટકા અથવા તેનાથી વધારે છે.
હજું પણ કેટલાક જિલ્લામાં વાયરસનું સંકટ યથાવત
30 જિલ્લા એવા છે જ્યાં કોવિડ 19 પોઝિટિવિટી રેટ 10 ટકા અથવા તેનાથી વધારે
આ 30 જિલ્લામાંથી 13 જિલ્લા એકલા ફક્ત કેરળના
હજું પણ કેટલાક જિલ્લામાં વાયરસનું સંકટ યથાવત
દેશભરમાં કોરોનાનો કેર ભલે ઓછો થતો નજરે પડી રહ્યો છે પરંતુ હજું પણ કેટલાક જિલ્લામાં વાયરસનું સંકટ યથાવત છે. દેશમાં ઓછામાં ઓછા 30 જિલ્લા એવા છે જ્યાં કોવિડ 19 પોઝિટિવિટી રેટ 10 ટકા અથવા તેનાથી વધારે છે. જ્યારે દેશમાં પોઝિટિવિટી રેટમાં ગત 5 મહિનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સંકટની ઘંટડી વગાડી રહેલા આ 30 જિલ્લામાંથી 13 જિલ્લા એકલા ફક્ત કેરળના છે.
સતત 13 દિવસ માટે અઠવાડિક પોઝિટિવિટી દર 3 ટકાથી ઓછો રહ્યો
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાથી ખબર પડે છે કે રાષ્ટ્રીય સ્તર પર સતત 13 દિવસ માટે અઠવાડિક પોઝિટિવિટી દર 3 ટકાથી ઓછો રહ્યો છે. એટલા માટે વિશેષજ્ઞ વધારે જોખમવાળા વિસ્તારમાં ઉપયોગમાં લેવામાં આવનારી રણનીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
કંઈક તો ગડબડ છે ત્યારે આટલા પ્રમાણમાં મામલા આવી રહ્યા
નામ ન છાપવાની શરત પર એક સ્વાસ્થ્ય વિશેષજ્ઞે કહ્યું કે સ્પષ્ટ રુપથી કંઈક તો ગડબડ છે ત્યારે આટલા પ્રમાણમાં કોરોનાના મામલા સામે આવી રહ્યા છે. ઉદાહરણ માટે અમે ઘણા ટેસ્ટ કરી રહ્યા છીએ પરંતુ એમાંથી ફક્ત એજ કોન્ટેક્ટને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જે હાઈ રિસ્કમાં છે. સ્વાભાવિક છે કે પોઝિટિવિટી તેમનામાં જ વધારે છે. પરંતુ જો અમે પુરતા ટેસ્ટ નથી કરી શકતા તો આપણે અનેક કેસો મિસ કરી રહ્યા છીએ. ખાસ કરીને એસિમ્ટોમેટિક મામલા.
અહીં અઠવાડિક પોઝિટિવિટી દર 5 ટકાથી 10 ટકાની વચ્ચે
11 રાજ્યોના અન્ય 18 જિલ્લાથી સપ્તાહિક પોઝિટિવિટી દર 5 ટકાથી 10 ટકાની વચ્ચે રિપોર્ટ કરાઈ રહ્યો છે. જે ફક્ત કોવિડ 19 સંક્રમણોના નિર્ણયના ઉચ્ચ દરના સંકેત આપે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાનુસાર જો કોઈ વિસ્તારમાં સતત બે અઠવાડિયાથી પોઝિટિવિટી રેટ 5 ટકાની નીચે થાય ત્યારે તે વિસ્તારને નિયંત્રણમાં આવવાની વાત કરી શકાય છે.
સૌથી વધારે સક્રિય મામલા હાલમાં કેરળમાં જ
કેરળ ઉપરાંત મિઝોરમના આઠ જિલ્લા, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં 3-3, સિક્કિમમાં 2 અને મેઘાલયમાં કોરોનાનું સંકટ હજું પણ વધેલું છે. જો કે દેશભરમાં સૌથી વધારે સક્રિય મામલા હાલમાં કેરળમાં જ છે. જ્યાં 1,44, 075 એક્ટિવ કેસ છે. જે સમગ્ર દેશમાં 52.01 ટકા બરાબર છે. 5 રાજ્યોમાં 50, 000થી 100,000 સક્રિય કોવિડ 19 મામલા છે. મહારાષ્ટ્રમાં 40, 252 સક્રિય મામલા છે. આ બાદ તમિલનાડુમાં 17, 192, મિઝોરમમાં 16, 841, કર્ણાટકમાં 12, 594 અને આંધ્ર પ્રદેશમાં 11, 655 મામલા છે.