WTC ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી રમાશે. એવામાં ટીમ ઇન્ડિયાના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ મેચમાંથી બહાર રહેશે, જેમની ગેરહાજરી કેપ્ટન રોહિત શર્મા અનુભવશે.
WTC ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી રમાશે
ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યું
આ ખેલાડીઓ નહીં રમે WTC ફાઇનલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી ઓવલમાં રમાશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા સતત બીજી વખત આ મોટી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી રહી છે. ગયા વખતે ટીમ ઇન્ડિયાને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો હવે આ વખતે જીત મળશે કે નહિ એ જોવાનું રહ્યું. WTC ફાઇનલમાં ટીમ ઈન્ડિયા સામે એક મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ ઉભી છે. આવી સ્થિતિમાં ફાઇનલ મેચ માટે મજબૂત ટીમ પસંદ કરવાનો પડકાર મેનેજમેન્ટ પર રહેશે. એવામાં ટીમ ઇન્ડિયાના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ મેચમાંથી બહાર રહેશે, જેમની ગેરહાજરી કેપ્ટન રોહિત શર્મા અનુભવશે.
આ ખેલાડીઓ નહીં રમે WTC ફાઇનલ
એ વાત તો મહત્વની છે કે અંગ્રેજી પિચો પર બેટિંગ હંમેશા મુશ્કેલ હોય છે અને એશિયન બેટ્સમેનો માટે ખાસ કરીને સ્વિંગિંગ ફાસ્ટ બોલને રમવું હંમેશા મુશ્કેલ હોય છે. તેમ છતાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનો ઈંગ્લેન્ડમાં શાનદાર રેકોર્ડ છે. રાહુલ ઇંગ્લેન્ડમાં છેલ્લી 10 ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડમાં જ સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. જણાવી દઈએ કે રાહુલે આ દરમિયાન 501 રન બનાવ્યા છે.
2021માં જ્યારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે આવી હતી ત્યારે રાહુલે ઘણા રન બનાવ્યા હતા પણ આ ખેલાડી ઈજાના કારણે WTC ફાઈનલમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે. જણાવી દઈએ કે આઈપીએલ 2023 દરમિયાન રાહુલને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી.
પંત પણ ટીમની બહાર
રાહુલ સિવાય ટીમને આ મોટી મેચમાં ઋષભ પંતની પણ ખોટ મહેસુસ થશે. હનવી દઈએ કે રાહુલ બાદ છેલ્લી 10 ઇનિંગ્સમાં કેપ્ટન રોહિતે સૌથી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિતે 432 રન બનાવ્યા હતા અને આ યાદીમાં ત્રીજું નામ માત્ર પંતનું છે. પંતે ઇંગ્લેન્ડમાં રમાયેલી છેલ્લી 10 ઇનિંગ્સમાં 390 રન બનાવ્યા હતા. તેની 5 ટેસ્ટ સદીઓમાંથી બે ઈંગ્લેન્ડમાં મારી હતી. આપણે બધા જાણીએ છીએ કે પંત આ વર્ષની શરૂઆતમાં જ એક રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો.