આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે હવે 8 મોટા નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે કે જે દરેક સામાન્ય માણસને અસર કરશે.
આજથી શરૂ થયું નવું નાણાકીય વર્ષ
દેશમાં અનેક નિયમોમાં આજથી નવા ફેરફારો લાગુ થયાં
હવેથી PF જમા પર લાગશે ટેક્સ તો હોમ લોન પર નહીં મળે વધારાની ટેક્સ છૂટ
આજથી 1 એપ્રિલથી નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. ત્યારે દેશમાં અનેક નિયમોમાં ફેરફાર જોવા મળશે કે જેની સીધી જ અસર ઇન્કમ, ખર્ચ અને રોકાણ પર પડશે. આવી સ્થિતિમાં આજે એ જાણવું જરૂરી છે કે બજેટ અને અન્ય સરકારી નિયમોના કારણે દેશના લોકો અને તેમના જીવનમાં કેવાં ફેરફારો થવા જઇ રહ્યાં છે.
તો અહીં જોઇશું કે આખરે કેવાં-કેવાં ફેરફારો થઇ રહ્યાં છે?
PF એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયાથી વધુ જમા કરાયેલી રકમના વ્યાજ પર આવકવેરો લાગશે.
નવી જોગવાઈ અનુસાર, હવેથી વર્ચ્યુઅલ ડિજિટલ અથવા ક્રિપ્ટો કરન્સીના વેચાણથી થતા નફા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. પ્રથમ ઘર ખરીદનારાઓને હોમ લોન પર 1.5 લાખની વધારાની ટેક્સ છૂટ નહીં મળે.
નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ સામાન્ય માણસ માટે દવાઓ પરનો ખર્ચ પણ વધવા જઈ રહ્યો છે. આજથી લગભગ 800 આવશ્યક દવાઓની કિંમતમાં પણ 10.7 ટકાનો વધારો થઇ ગયો છે.
પોસ્ટ ઓફિસની અનેક રોકાણ યોજનાઓમાં મળતું વ્યાજ હવે રોકડમાં ઉપલબ્ધ નહીં થાય. બચત ખાતું ખોલાવવું પડશે.
મ્યુચ્યુઅલ ફંડમાં હવે રોકાણ UPI અથવા તો નેટબેંકિંગ દ્વારા જ કરી શકાશે. ચેક, બેંક ડ્રાફ્ટ વગેરે નહીં ચાલે.
PAN અને આધાર લિંક નહીં કરનારાઓને આજથી દંડ લાગુ પડશે.
EPF એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયાથી વધુની જમા રકમના વ્યાજ પર હવે આવકવેરો લાગશે. જો કે, સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા 5 લાખ રૂપિયાની છે.
રૂ. 45 લાખ સુધીનું એફોર્ડેબલ ઘર પહેલી વાર ખરીદનારાઓને હવે હોમ લોનના વ્યાજ પર રૂ. 1.5 લાખ સુધીની વધારાની કર કપાતનો લાભ નહીં મળે.
આજથી આ 8 મોટા ફેરફારો થઇ રહ્યાં છે તે સરકારી નિયમોના કારણે થઈ રહ્યાં છે. એ સિવાય કેટલાંક ફેરફારો એવાં પણ છે કે જે ખાનગી કંપનીઓ સાથે સંબંધિત છે જેમ કે ઘણી મોટી કાર નિર્માતા કંપનીઓએ આજથી પોતાના વાહનોની કિંમતોમાં વધારો કર્યો છે. ટાટા મોટર્સ, ટોયોટાથી લઈને BMW સુધીની કારની કિંમતમાં 2.5 થી 3.5 ટકાનો વધારો થઈ રહ્યો છે.
ઈ-ચલણને લઇને નિયમ સરળ કરાયો
CBIC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ ઇ-ચલણ (ઇલેક્ટ્રોનિક ચલણ) જારી કરવા માટેની ટર્નઓવર મર્યાદા રૂ. 50 કરોડની અગાઉની નિયત મર્યાદાથી ઘટાડીને રૂ. 20 કરોડ કરી દીધી છે. આ નિયમ પણ આજે 1 એપ્રિલ, 2022થી લાગુ કરવામાં આવી રહ્યો છે.
Axix બેંકમાં કરાયો આ મોટો ફેરફાર
એક્સિસ બેંકમાં સેલેરી અથવા સેવિંગ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે 1લી એપ્રિલ 2022થી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યાં છે. બેંકે બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા 10 હજારથી વધારીને 12 હજાર રૂપિયા કરી દીધી છે. AXIS બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, બેંકે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની નિર્ધારિત મર્યાદાને ચાર ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા 1.5 લાખ રૂપિયામાં પણ બદલી દીધી છે.