હ્રીતિક રોશન સામે માફી માંગવાની ના કહી ત્યારે જાવેદ અખ્તરે તેમના પર દબાવ બનાવ્યો હતો અને ધમકી પણ આપી હતી. સાથે જ આત્મહત્યા કરવા માટે પણ મજબુર કરી હતી
જાવેદ અખ્તરે મને ઘણી રીતે ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો - કંગના
જાવેદ અખ્તરે મને કહ્યું હતું કે દગાબાજ લોકોને ઠેકાણે લગાવવામાં અમને જરા પણ સમય નથી લાગતો
જાવેદ અખ્તરે મને આત્મહત્યા કરવા માટે પણ મજબુર કરી હતી - કંગના
કંગના હંમેશા કોઈના કોઈ કારણોસર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. હાલ જ મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતા કંગનાનો એક વિડીયો વાયરલ થયો હતો. એ પછી 2020થી ચાલતા કંગના અને જાવેદ અખ્તરના કેસને લઈને કંગના ફરી ન્યુઝમાં આવી છે. જાવેદ અખ્તર સામેના કેસમાં કંગના 4 જુલાઈના રોજ મુંબઈ કોર્ટમાં હાજર થઇ હતી. આ કેસની સુનવણી મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટ કોર્ટમાં થઇ હતી. કોર્ટમાં કંગના રનૌતનું બયાન દર્જ કરવામાં આવ્યું હતું. પણ એ પહેલા કંગનાએ અપીલ કરી હતી કે તેના બયાન દર્જ કરતી વખતે તેની સાથે તેની બહેન રંગોલી ચંદેલ અને વકીલ જ હાજર રહે. આ બયાન દર્જ કરતી વખતે કંગના એ તેની બહેનને સાક્ષી બનાવી હતી.
કોર્ટમાં કાંગાને કહ્યું હતું કે એમના અને હ્રીતિકના ઝઘડા સમયે જાવેદ અખ્તરે એમને બેઈજ્જતી કરી હતી અને જયારે તેને હ્રીતિક રોશન સામે માફી માંગવાની ના કહી ત્યારે જાવેદ અખ્તરે તેમના પર દબાવ બનાવ્યો હતો અને સાથે જ ધમકી પણ આપી હતી. સાથે જ એમ પણ કહ્યું હતું કે જાવેદ અખ્તરે એમને આત્મહત્યા કરવા માટે પણ મજબુર કરી હતી. સાથે રીપોર્ટ અનુસાર કંગના એ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, ' જાવેદ અખ્તરે મને કહ્યું હતું કે અમને દગાબાજ લોકોને ઠેકાણે લગાવવામાં જરા પણ સમય નથી લાગતો.એ પછી લોકોને લાગવા લાગ્યું હતું કે હ્રીતિક સાથે મારી અફેર નહતું પણ મેં તેને દગો આપ્યો હતો.
સાથે જ કંગનાએ એમ પણ કહ્યું હતું કે ' જાવેદ અખ્તરે મને ઘણી રીતે ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો અને એમ કહેતા રહેતા હતા કે લોકો વચ્ચે મારી ઈમેજ એટલી બગાડી મુકશે કે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે. અમારી પાસે રાજનૈતિક તાકાત પણ છે. એમન પાસે માફી માગીને ખુદને બચાવી લે નહીં તો ક્યાય મોઢું દેખાડવાને લાયક નહીં રહે.'
જણાવી દઈએ કે પહેલા કંગનાને 27 જુલાઈએ મુંબઈ કોર્ટ સમક્ષ હાજર થવાનુ હતુ. પરંતુ તે દિવસે તે હાજર રહી નહોતી. તેથી જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે કોર્ટને કહ્યું કે કંગનાને ઘણી વખત ગેરહાજર રહી છે. તેથી તેની સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવે. એ પછી 4 જુલાઈના રોજ કંગના કોર્ટે પંહોચી હતી.
વર્ષ 2020માં અભિનેત્રી કંગના રનોતે ગીતકાર જાવેદ અખ્તરને લઇને વિવાદીત નિવેદન આપ્યું હતુ. જેનાથી નારાજ થઇ જાવેદ અખ્તરે કંગનાની પર તેની છબિ બગાડવા અને તેની પ્રતિષ્ઠાને ધૂળમાં મિલાવવાનો આરોપ લગાવ્યો અને કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ અંધેરીની મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી શરુ થઇ. ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું કે વર્ષ 2020માં સુશાંત સિંહના મોત બાદ કંગનાએ બળજબરી તેમનુ નામ કોઈ 'ગ્રુપ' સાથે જોડી દીધુ હતુ.
જાવેદ અખ્તર દ્વારા કંગના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ માનહાનિની ફરિયાદ બાદ કંગનાએ પણ તેમના વિરુદ્ધ વસૂલી, અપરાધિક રૂપથી ધમકાવવા તથા અન્ય આરોપો લગાવ્યા હતા તથા આ મામલામાં એક્ટ્રેસે કાર્યવાહીને સ્થળાંતરિત કરવાની માંગ કરી હતી. બંને કાર્યવાહી અંધેરી મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટનાં સમક્ષ છે. કંગનાએ દિંડોશી સેશન કોર્ટનાં દરવાજા ખટખાટાવ્યા હતા.
કંગનાએ આમ કહેતા સ્થળાંતરની માંગણી દાખલ કરાવી હતી કે તેમણે અંધેરી અદાલત પરથી વિશ્વાસ ખોઈ દીધો છે. તેમની સ્થળાંતરની માંગમાં અદાલત તરફથી 'પૂર્વાગ્રહ'નો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં કહેવાયું હતું કે ન્યાયાધીશે અરેસ્ટની ધમકી આપી હતી, ભલે પછી તેમની વિરુદ્ધનાં આરોપો બિન-જ્ઞાનક્ષમ તથા કમ્પાઉન્ડેબલ હતા. પણ કોર્ટે એમની આ અરજી નકારી દીધી હતી.