પુલવામા આતંકવાદી હુમલાના કારણે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચેની મેચ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કહ્યુ કે ''તેમને નથી લગાતુ કે 30મેથી શરૂ થનારા વર્લ્ડ કપમાં કોઇ ફેરફાર કરવામાં આવે.'' આતંકી હુમલાના ધ્યાનમાં રાખીને ક્રિકેટર હરભજન સિંહે કહ્યુ કે ''ટીમ ઇન્ડિયાએ 16 જૂનના રોડ માન્ચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ઘ ના રમવુ જોઇએ.''
રિચર્ડસનનું કહેવુ છે કે ''આ ઘટનાથી પ્રભાવિત લોકોની સાથે અમારી સહાનુભૂતિ છે અને અમે અમારા સભ્યોની સાથે સ્થિતિ પર નજર રાખીશુ. એવા કોઇ સંકેત નથી ICC વર્લ્ડ કપની કોઇ મેચ નિર્ધારિત અનુસાર નહી થાય.''
તેમણે કહ્યુ કે ''ખાસ કરીને ક્રિકેટમાં લોકોને નજીક લાવવા અને સમુદાયોને જોડવાની કમાલની ક્ષમતા છે અને અમે આ જ આધાર પર અમારા સભ્યો સાથે કામ કરીશું.'' બીજી તરફ BCCIના એક સીનિયર અધિકારીએ જણાવ્યુ કે હરભજને પોતાના પક્ષ મૂક્યો પણ ન કહ્યુ કે ''જો અમારે તેમની વિરુદ્ઘ સેમીફાઇનલ અથવા ફાઇનલ રમવી પડશે તો શું આપણે નહી રમીએ. અમે કાલ્પનિક સ્થિતિ પર વાત કરી રહ્યા છીએ.''
તેમણે કહ્યુ કે 'ટીમ ઇન્ડિયાએ 1999 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ઘ મેચ રમી હતી જ્યારે કાગરિલ યુદ્ધ ચરણ પર હતુ.'' હરભજને સોમવારે કહ્યુ કે ''જો ટીમ ઇન્ડિયા પાકિસ્તાન વિરુદ્ઘ 16 જૂનને માન્ચેસ્ટરમાં રમાનારી મેચ ગુમાવી દે તો પણ એટલુ મજબૂત છે તે વર્લ્ડ કપ જીતી શકે છે.''
તેણે કહ્યું હતું કે ''આ કપરો સમય છે. હુમલો થયો છે. આ વિશ્વસનીય છે અને ખૂબ જ મોટુ છે. સરકાર જરૂરી આકારી કાર્યવાહી કરશે. જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે તો મને નથી લાગતુ કે તેમની સાથે કોઇપણ સંબંધ રાખવો જોઇએ નહીંતર આવુ ચાલતુ રહેશે. આપણે દેશ સાથે ઉભુ રહેવુ જોઇએ. ક્રિકેટ કે હૉકી કે કોઇ પણ રમતમાં આપણે તેમની સાથે ના રહેવુ જોઇએ.''