ઈડરમાં સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના અન્નપૂર્ણા નામ ધરાવતા બંગ્લોઝમાં ભગવાન શ્રીરામના પાદુકા, છત્ર અને મુગટ સહિત રૂ.4.50 લાખની ચોરી થઈ છે
સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના મકાનમાં ચોરી
પાદુકાઓ, મુગટ સહિત રૂ. 4.50 લાખથી વધારેની ચોરી
પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
લંકેશના ઉપનામથી જગવિખ્યાત બની ચૂકેલા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના અન્નપૂર્ણા નામ ધરાવતા મકાનમાં ચોરી થયાના પગલે સમગ્ર ઈડર સહિત સાબરકાંઠા જિલ્લામાં હડકમ સર્જાયો છે. જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસમા આ મામલે ફરિયાદ થતા વધુ તપાસ હાથ ધરાઈ છે. જો કે, ચોરોએ લંકેશના મકાનમાંથી પાદુકાઓથી લઈ મુગટ સુધીની તમામ ચીજ વસ્તુઓની ચોરી કરી છે જેના પગલે પરિવારજનો સહિત શહેરીજનોમાં પણ ભારે ખળભળાટ સર્જાયો છે.
મકાનમાં ચોરોએ તાળું તોડી ચોરી કરી
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના વતની તેમજ લંકેશના નામથી જગવિખ્યાત બની ચૂકેલા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના મકાનમાં ચોરોએ તાળું તોડી ચોરી કરાયાના પગલે પરિવારજનો સહિત સમગ્ર શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે જોકે આ મામલે જ સાબરકાંઠા જિલ્લા પોલીસ વતી ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરાઈ છે. ઇડરના અન્નપૂર્ણા બંગ્લોઝમાં ભગવાન શ્રીરામના પાદુકા સહિત છત્ર અને મુગટની ચોરી થઈ છે સાથો સાથ સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીને જગવિખ્યાત થયાના પગલે મળેલા વિવિધ સ્મૃતિચિન્હો સહિત મેડલોની પણ ચોરી થઈ છે જોકે આ મામલે તેમના પરિવારજનો મહારાષ્ટ્રના મુંબઈથી ઈડર ખાતે દોડી આવતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોકે અંદાજિત સાડા ચાર લાખથી વધારેની ચોરી થયાનો પ્રાથમિક અંદાજ છે ત્યારે બીજી તરફ બંધ મકાનમાં ચોરી કરનાર કોઈ જાણભેદુ હોવાની પણ વાતો ચર્ચા રહી છે જોકે આ મામલે હાલમાં પોલીસ ફરિયાદ થઈ છે.ત
ભગવાન શ્રીરામની પાદુકાઓ સહિત મુગટની ચોરી
જોકે એક તરફ સમગ્ર વિશ્વમાં લંકેશ તરીકેના ઉપનામથી જાણીતા બનેલા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીને કેટલાય પ્રમાણપત્ર દસ્તાવેજ સહિત વિવિધ દેશોમાંથી મેડલો પણ એનાયત કરાયા હતા. સાથોસાથ સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદી ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હોવાના પગલે શ્રીમદ મોરારીબાપુના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલ ભગવાન શ્રીરામની પાદુકાઓ સહિત મુગટ તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી 4.50 લાખથી વધારેની મુદ્દામાલની ચોરી થઈ છે જેના પગલે ઈડર પોલીસે ફરિયાદ નોંધી છે તેમજ ઘટનાસ્થળે પહોંચી ચોર ઇસમો સુધી પહોંચવા ગતિવિધિઓ તેજ કરી છે ત્યારે હાલના તબક્કે ઇડર પોલીસે આ મામલે સ્થાનિકો પાસેથી વિવિધ નિવેદનો લઈ પોલીસ કામગીરીની તેજ કરી છે.
જોકે, છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આગામી સમયમાં આ મામલે ચોરીનો ભેદ ઉકેલાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.