આજે અમે તમે દુનિયાનું સૌથી મોટા હિન્દૂ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિરનું નામ છે અંકોરવાટ. યૂનેસ્કો દ્વારા આ મંદિરને વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ રાજધાની નોમ પેન્હથી લગભગ 206 કિમી દૂર આવેલું છે. આ મંદિર કંબોડિયામાં આવેલું છે તેને દુનિયાનું સૌથી મોટુ ધાર્મિક સ્મારક પણ કહેવામાં આવે છે.
162.6 હેક્ટર જમીન પર બનેલા આ મંદિરને મુળ રૂપથી ખમેર સામ્રાજ્ય માટે ભગવાન વિષ્ણુના એક હિન્દૂ મંદિરના રૂપમાં બનાવવામાં આવ્યુ છે. પરંતુ તે ધીરે-ધીરે 12મી સદીના અંતમાં બૌદ્ધ મંદિરના રૂપમાં પરિવર્તિત થઈ ગયું. આ કંબોડિયાના અંકોરમાં સ્થિત છે જેનું જૂનું નામ યશોધરપુર હતુ.
માનવામાં આવે છે કે મંદિરનું નિર્માણ સમ્રાટ સૂર્યવર્મન દ્વીતીયના શાસનકાળમાં થયુ હતુ. આ એક વિષ્ણુ મંદિર છે. જ્યારે તેનાથી પહેલાના રાજાઓએ શિવ મંદિરોનું નિર્માણ કર્યુ હતુ.
સંસારનું સૌથી મોટુ હિન્દૂ મંદિરના નામથી ઓળખાતા આ મંદિર મીકાંગ નદીના કિનારે વસેલું છે. તે સેંકડો વર્ગ મીલમાં ફેલાયેલું છે. તેને રાષ્ટ્ર માટે સન્માનું પ્રતિક પણ માનવામાં આવે છે.
તેને 1983 બાદ કંબોડિયાના રાષ્ટ્રધ્વજમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ મંદિર મેરુ પર્વતનું એક પ્રતિક પણ માનવામાં આવે છે. તેની આસપાસ સ્થિત અન્ય મંદિર પણ સુંદરતાના પ્રતિક છે. આ પ્રાચીન મંદિરને દૂર-દૂરથી લોકો જોવા માટે આવે છે.
આ મંદિરની એક અન્ય ખાસિયત એ પણ છે કે અહીંની દિવાલો પર ભારતીય ધર્મ ગ્રંથોના પ્રસંગોનું ચિત્રણ કરવામાં આવ્યુ છે. તેના પર અસુરો અને દેવતાઓ વચ્ચે સમુદ્ર મંથનના દૃષ્ય પણ બનેલા છે.
અહીં લોકો ફક્ત વાસ્તુશાસ્ત્રનો આનંદ લેવા નથી આવતા પરંતુ અહીંનો સુર્યોદય અને સુર્યાસ્ત જોવા પણ આવે છે. તેનું દૃષ્ય પણ અહીં ખુબ સુંદર બને છે. આ સનાતની લોકો માટે એક પવિત્ર તીર્થસ્થાન છે.