આગામી 2 દિવસ સુકા પવનોની દિશાના બદલાવાના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે, ત્યાર બાદ ફરી તપારો પડશે: હવામાન વિભાગ
રાજ્યમાં વરસી રહી છે કાળઝાળ ગરમી
અમદાવાદમાં પારો 42 ડિગ્રીને પાર
હજુ પણ વધી શકે છે ગરમી
રાજ્યમાં અગન વરસાવતી ગરમીની મોસમ જામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અમદાવાદમાં વધતી ગરમીને લઇ મુખ્ય રસ્તાઓ ખાલીખમ ભાસી રહ્યા છે. આજે અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જતો રહ્યો હતો. લોકો શેરડીના રસ, લીંબુ શરબત પી ગરમીથી બચાવવાનો સહારો લઈ રહ્યા છે.
હવામાન વિભાગની શું છે આગાહી
રાજ્યમાં આંશિક રાહત ગરમીથી મળે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે તેવું અનુમાન કર્યું છે એટલે કે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ અનેક વિસ્તારમાં ત્રણ દિવસ(16-17-18) માટે રહેશે અરબી સમુદ્રમાં સુકા પવનોની દિશાના બદલાવાના કારણે ગરમીમાં આંશિક રાહત મળે તેવું અનુમાન હવામાનએ કર્યું છે બપોરના સમયે અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિતના તમામ વિસ્તારમાં ગરમીનો આકરો તાપ જ્યારે સાંજે પવનોના કારણે ગરમી આંશિક રાહત મળશે.
2 દિવસ બાદ ગરમી વધશે
સાંજે તેજ પવનોની લીધે બે દિવસ સાંજે ગરમીથી રાહત મળશે જ્યારે બે દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા હવામાન વિભાગે આપી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં આજે બપોરના ૧ વાગ્યા બાદ રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા અને લોકોની અવરજવર પણ નહિવત થઈ ગઈ હતી. દિવસ દરમ્યાન લોકોને આજે સખત લૂનો પણ સામનો કરવો પડ્યો હતો.જે પણ લોકો બપોર બાદ બહાર નીકળ્યા હતા તે ગરમીથી રક્ષણ મેળવવા માટે આત્મા મોજા ટોપી અને મોઢા પર રૂમાલ બાંધીને નજરે પડ્યા હતા આજે વધુ પડતી ગરમીના કારણે લોકોએ ઠંડા પીણાનો પણ સૌથી વધારે સહારો લીધો હતો