IPLની 15મી સિઝનમાં કુલ 10 ટીમો રમવા માટે ઉતરવાની છે. BCCIએ 2 નવી ટીમોના નામની ઘોષણા કરી છે. ત્યારે પૂર્વ IPL કમિશનર લલિત મોદીએ કૉમેન્ટ કરી છે.
લલિત મોદીએ BCCI પર લગાવ્યો આરોપ
2 નવી ટીમ ખરીદવા મુદ્દે થઇ વાત
ટ્વિટ કરીને BCCIને સંભળાવી ખરી ખોટી
કઇ છે 2 નવી ટીમ
ગોયન્કા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં લખનઉની ટીમ લીધી જ્યારે સીવીસી કેપિટલ્સે અમદાવાદની ટીમને 5600 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.
સોમવારે BCCIએ નીલામી પ્રક્રિયાને નિયમ મુજબ પૂરી કરી હતી અને સાંજે 2 નવી ટીમો અને તેને પોતાના નામે કરનાર માલિકોના નામની ઘોષણા કરી હતી. પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીએ BCCI પર ટીમોની નીલામીને લઇને આરોપ લગાવ્યો છે. છેતપિંડીના આરોપમાં ભારતથી ફરાર થયેલા લલિત મોદીએ ઇંગ્લેન્ડથી ટ્વિટ કરીને બોર્ડ પર આરોપ લગાવ્યો છે.
i guess betting companies can buy a @ipl team. must be a new rule. apparently one qualified bidder also owns a big betting company. what next 😳😳😳 - does @BCCI not do there homework. what can Anti corruption do in such a case ? #cricket
લલિતે ટ્વિટ કરતા ગંભીર આરોપ લગાવ્યો અને લખ્યું કે, મને તો લાગે છે સટ્ટાબાજી કરનાર કંપનીઓ પણ IPLની ટીમને ખરીદી શકે છે. બની શકે આ કોઇ નવો નિયમ હોય કારણકે બોલી લગાવનાર વ્યક્તિ જ એક સટ્ટા લગાવનાર કંપનીના માલિક છે. મતલબ હવે BCCIએ પોતાનું હોમવર્ક વ્યવસ્થિત કર્યું નથી. આ મુદ્દે એન્ટિ કરપ્શન યુનિટ શું કરી શકે છે.