બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The reports of all the three patients of Jamnagar, Omicron were negative

જામનગર / ઓમિક્રોન વેરિઅન્ટની દહેશત વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર, આટલા દર્દીઓનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

Kiran

Last Updated: 09:57 AM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં ઓમિક્રોન દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, 12 દિવસ બાદ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

  • ઓમિક્રોનને લઇ રાહતના સમાચાર
  • ઓમિક્રોનના 3 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ
  • 3 દર્દીઓને હોસ્પિટલમાંથી અપાઇ રજા

ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના કેસ વધવાની સાથે ઓમિક્રોનના પાંચ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું, જોકે જામનગરમાં પોઝિટિવ આવેલા દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.  

ઓમિક્રોનના નોંધાયેલ ત્રણેય દર્દીઓના રિપોર્ટ નેગેટિવ

ઓમિક્રોનના નોંધાયેલ ત્રણેય દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા 3 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દર્દીઓ પોઝિટિવ આવ્યાના 12 દિવસ બાદ ફરીથી રિપોર્ટ કરાયા હતા જેમાં રિપોર્ટ નેગેટિવ આવતા ત્રણેય દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, ગુજરાતના પ્રથમ ત્રણ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે, ત્યારે હવે ગુજરાતમાં ઓમિક્રોનનો માત્ર એક કેસ એક્ટિવ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.    

હાલ ગુજરાતમાં ઓમિક્રોનનો 1 કેસ એક્ટિવ છે

સુરત શહેરમાં ધીમીગતિએ કોરનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં કોરોનાના 100 કેસો પોઝિટિવ આવ્યા છે. વેક્સિનના બંને ડોઝ લીધા હોય એવા વ્યક્તિઓ પણ પોઝિટિવ આવી રહ્યા છે. વેક્સિનના બંને ડોઝ લીધા હોય એવા 51 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે વેક્સિન લીધી હોવાથી કોરોનાની ગંભીર અસર તેમના પર થઈ નથી, માત્ર ઘરે જ સ્વસ્થ થતા હોસ્પિટલ જોવા મળી રહ્યા છે. 

રાજ્યમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે વધારો 

મહત્વનું છે કે રાજ્યમાં કેટલાક દિવસથી કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. શહેર અને જિલ્લામાં 20 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેર અને જિલ્લામાં 9 દર્દી સાજા થયા છે. જોકે એક પણ દર્દી મુત્યુ પામ્યો નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. જ્યારે 43 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

ઓમિક્રોનની દહેશત વચ્ચે વડોદારમાં 393 મુસાફરો આવ્યા

એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં ઓમિક્રોનની દહેશત છે ત્યારે હાલ મોટી સંખ્યામાં NRI ગુજરાતમાં આવી રહ્યાં છે. વિદેશમાં ઓમિક્રોન કેસનું પ્રમાણ વધ્યું છે ત્યારે ઓમિક્રોનની દહેશત વચ્ચે વડોદારમાં 393 મુસાફરો આવ્યા છે. 20 દિવસમાં 393 મુસાફરોમાંથી 58 મુસાફરો યૂકેથી વડોદરા આવ્યા છે. અને અત્યાર સુધી કુલ 19 મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. અને તમામના ઓમિક્રોન સેમ્પલ લઇ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ