બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / The Rajasthan government will provide assistance to the needy

સહાય / ગુજરાતના પડોશી રાજ્યની મોટી જાહેરાત, રૂ.50,000 આપશે બેરોજગારોને, એ પણ વગર વ્યાજે

Ronak

Last Updated: 08:02 PM, 18 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન સરકાર દ્વારા ઈન્દિરા ગાંધી અર્બન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે યોજના અંતર્ગત લોકોને સરકાર દ્વારા 50 હજારની સહાય આપવામાં આવશે.

  • રાજસ્થાન સરકાર જરૂરિયાત મંદોને આપશે સહાય 
  • ઈન્દિરા ગાંધી અર્બન ક્રેડિટ કાર્ડ યોજનાથી લોકોને મળશે લાભ 
  • સરકાર દ્વારા લોકોને 50 હજારની સહાય આપવામાં આવશે 

રાજસ્થાન સરકાર દ્વારા ઈન્દિરા ગાંધી અર્બન ક્રેડિટ કાર્ડ યોજનાના માધ્યમથી વેપારીઓ અને જરૂરિયાતમંદ લોકોને 50 હજાર રૂપીયાની રકમ આપવામાં આવશે. સરકાર દ્વારા જેને પણ આ કાર્ડ મળશે તે લોકોને વ્યાજ નહી ચુકવવું પડે માજ્ઞ 50 હજાર રૂપિયા જે તેમણે લીધા છે તે ચુકવવા પડશે. 

2022 સુધી લોકોને યોજનાનો લાભ લઈ શકશે 

કોરોના મહામારીને કારણે લોકડાઉન થઈ જતા ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે. જેથી જે લોકો હાલમાં આર્થીક તંગીનો સામનો કરી રહ્યા છે. તે લોકોને સરકાર દ્વારા આ કાર્ડનો ફાયદો આપવામાં આવશે. આ યોજના 6 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે અને માર્ચ 2022 સુધી લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. 

12 મહિનામાં 50 હજાર પરત આપવાના 

સરકાર દ્વારા જે 50 હજારની સહાય આપવામાં આવી છે. તે લોકો પાસેથી તેનું વ્યાજ વસૂલવામાં નહી આવે. સાથેજ કોઈ પણ ગેરેંટી આપવાની પણ કોઈ જરૂર નથી. જે લોકોને આ યોજનાનો લાભ લેવો છે તે લોકો 31 માર્ચ 2022 પહેલા અરજી આપી શકે છે. જોકે લાભાર્થીઓએ 12 મહિનામાં આ રકમ સરકારને પરત આપવી પડશે તેજ શરતે તેમને રૂપિયા આપવામાં આવશે. 

પાંચ લાખ લોકોને મળશે લાભ 

આ યોજનાના નોડલ અધિકારી જિલ્લા કલેક્ટર રહેશે. દરેક લાભાર્થીઓનું ક્રોસ વેરિફિકેશન વિભાગીય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. યોજનાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અને લાભાર્થીઓ ક્રેડિટ કાર્ડ દ્વારા લોનની રકમ ઉપાડી શકશે. કુલ પાંચ લાખ જેટલા લોકોને સરકાર દ્વારા યોજનાનો લાભ આપવામાં આવશે.

ટૂંક સમયમાં વેબસાઈટ અને મોબાઈલ એપ લોન્ચ થશે

ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત ગ્રામીણ બેંકો, સહકારી બેંકો અને વાણિજ્ય બેંકો થકી લાભાર્થીઓને રૂપિયા આપવામાં આવશે. સાથેજ દરેક લાભાર્થીને એક પ્રમાણપત્ર આપવામાં આવશે જેથી ઓળખ સરકાર પાસે રહેશે. ખાસ કરીને નાઈ, રિક્ષાચલકો, કુંભાર, મોચી, મેકેનિક, દરજી, ધોબી, પેઈન્ટર અને ઈલેક્ટ્રીશયનને આ યોજનાનો લાઊ આપવામાં આવશે. ટૂંક સમયમાં આ યોજના અંતર્ગત વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ