મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી એક ખેડૂતે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિજાપુરના ફેતહપુરા ગામના ખેડૂત અશોકભાઈએ ઝેરી દવા પીધી છે.
સમગ્ર ઘટના વિશે જણાવિયે તો ફેતહપુરા ગામના ખેડૂત અશોકભાઈએ 5 વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અશોકભાઈએ વ્યાજખોરો પાસેથી ખેતી માટે રૂ. 70 000 વ્યાજે લીધા હતા.
અશોકભાઈએ રૂપિયા ચૂકતે ના કરાતા વ્યાજખોરોએ ગઈ 23 જૂને અશોકભાઈનું અપહરણ કર્યું હતું. જે અંગે તેમના પત્નીએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી.
અપહરણ બાદ અશોકભાઈને તક મળતા તેઓ અપહરણકારોની ચૂંગલમાંથી ભાગી છૂટયા હતા. બાદમાં તેમણે ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો.