કોરોના મહામારીને લઈને વિશ્વ આરોગ્ય સંગઠને વધુ એક ભયાનક ચેતવણી જારી કરી છે.
કોરોના મહામારીને લઈને WHOની ચેતવણી
WHOના નિષ્ણાત મારિયા વાન કેરખોવનું નિવેદન
કોરોનાનો હવે પછીનો વેરિયન્ટ ખતરનાક હશે
મહામારી હાલમાં ખતમ થવાની નથી
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. જો કે આ વાયરસ ઘણી વખત મ્યુટેટ થઇ ચૂક્યો છે, પરંતુ તેના કેટલાક પ્રકારો માનવીઓ માટે ઘાતક સાબિત થયા હતા. નિષ્ણાતોનું માનવું છે કે નવા વેરિઅન્ટની શોધનો આ ટ્રેન્ડ હજુ અટકવાનો નથી.
કોરોનાનો હવે પછીનો વેરિયન્ટ અત્યંત ખતરનાક હશે
WHOની કોવિડ -19 ની તકનીકી લીડ મારિયા વાન કેરખોવે જણાવ્યું છે કે કોરોનાનો હવે પછીનો વેરિયન્ટ અત્યંત ખતરનાક હશે તેમણે કહ્યું કે મહામારી હાલમાં ખતમ થવાની નથી, જે દાયકાઓ સુધી ચાલતી રહેશે. તેમણે કહ્યું કે કોરોનાનો નવો વેરિએન્ટ વધુ ચેપી હશે, કારણ કે તેણે હાલના વેરિએન્ટ્સને પાછળ છોડી દેવા પડશે. તે હળવા અને ગંભીર બંને હોઈ શકે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને હરાવી શકે છે.
ઓમિક્રોન કોરોનાનો છેલ્લો વેરિયન્ટ નથી
WHOના નિષ્ણાત મારિયા વાન કેરખોવનું માનવું છે કે ઓમિક્રોન કોરોનાનો છેલ્લો વેરિયન્ટ નથી. અમને આગળ અન્ય પ્રકારો મળવાના સમાચાર મળી શકે છે. અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે એ વેરિએન્ટ્સમાં કેવા પ્રકારના મ્યુટેશન હશે.નેચર જર્નલમાં છપાયેલા એક રિપોર્ટમાં વૈજ્ઞાનિક જેસી બ્લૂમે કહ્યું છે કે, કોરોના વાયરસનો ક્યારેય અંત નહીં આવે. તે સ્થાનિક તબક્કે આવશે, એટલે કે વાયરસ નબળો પડી જશે અને લોકો તેની સાથે જીવતા શીખશે. તે એક સામાન્ય રોગ બની જશે.
કોરોનાની અસર દાયકાઓ સુધી રહેશે-WHO ટેડ્રોસ અધાનોમ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ચીફ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસે કહ્યું કે વિશ્વમાં કોરોનાના ફેલાવાની ગતિમા મોટો ઘટાડો આવ્યો હોવા છતાં પણ તેની અસર દાયકાઓ સુધી રહેશે. તેમણે કહ્યું કે કોરોનાની સૌથી વધારે અસર સંવેદનશીલ લોકો પર પડશે અને મહામારી જેટલી લાંબી ચાલશે તેટલી વધારે અસર પડશે. તેમણે કહ્યું કે હાલમાં કોરોના વાયરસના અલગ-અલગ વેરિએન્ટ સામે આવી રહ્યા છે, જે દુનિયાભરની સરકારોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.
ડો.ટેડ્રોસે જણાવ્યું હતું કે, સૌથી સંવેદનશીલ લોકોમાં કોરોનાની અસર દાયકાઓ સુધી રહેશે. હાલમાં કોમનવેલ્થ દેશોની માત્ર 42 ટકા વસ્તીને જ રસીકરણનો ડબલ ડોઝ મળ્યો છે અને વિશ્વભરના દેશોમાં રસીકરણમાં વ્યાપક અસમાનતા છે. વિશ્વના ગરીબ દેશોમાં રસીકરણની ગતિ એકદમ ધીમી છે. આ કારણે લોકોમાં ભય છે કે તેના કારણે રોગચાળો દૂર થતાં વાર ન લાગે.