નવા મુખ્યમંત્રીને લઈ રહસ્ય અકબંધ, ગાંધીનગર કમલમ ખાતે ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર
નવા મુખ્યમંત્રીને લઈ રહસ્ય અકબંધ
ભાજપના તમામ સાંસદો પહોંચ્યા કમલમ ખાતે
કમલમ ખાતે ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દાને લઈને રહસ્ય અકબંધ છે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી અને નિરિક્ષક નરેન્દ્રસિંહ તોમર,તરૂણ ચુગ અને પ્રહ્લાદ જોશી આજે ગુજરાત આવી પહોંચ્યા છે તેઓએ પ્રદેશ ભાજપ અધ્યક્ષના નિવાસ સ્થાને બેઠક બાદ કમલમમાં મહત્વની બેઠક યોજી રહ્યા છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત છે.
નવા મુખ્યમંત્રીને લઈ રહસ્ય અકબંધ
આજે સવારથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપના ધારાસભ્યો, અને દિગ્ગજ નેતાઓનો હાજર જોવા મળી રહ્યા છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીઓ, નિરિક્ષકો, ધારાસભ્યો, હોદ્દેદારો, કાર્યકરો સહિત ભાજપના આગેવાનો પણ કમલમ ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે.
કમલમ ખાતે ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર
ભાજપના તમામ સાંસદો પણ કમલમ ખાતે ઉપસ્થિત છે, જેમાં મોહન કુંડારિયા, ભારતીબેન શિયળ, રાજેશ ચુડાસમા, મધ્ય ગુજરાતના દેવસિંહ ચૌહાણ, ઉત્તર ગુજરાતના સાંસદ દીપસિંહ રાઠોઠ, દક્ષિણ ગુજરાતના સાંસદ મનસુખ વસવા, સહિત તમામ પ્રદેશ હોદ્દેદારો અને ભાજપ સંગઠનના મોટા નેતાઓની કમલમ ખાતે હાજરી જોવા મળી રહી છે. કમલત ખાતે આજે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થનાર છે ત્યારે સવારથી કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરૂણ ચુગ, તેમજ પ્રલ્હાદ જોશી ગુજરાતમાં પહોંચ્યા છે, અને તેમના દ્વારા ભાજપના ધારાસભ્યોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એવું પણ મનાઈ રહ્યું છે કે આજે બપોરે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી શકે છે.
આજે જ જાહેર થશે નવા CM
રૂપાણીના રાજનામા બાદ ગુજરાના નવા મુખ્યમંત્રાના નામની જાહેરાત આજે થઈ શકે છે જેને લઈ ગાંધીનગર કમલમ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, મહત્વનું છે નવા મુખ્યમંત્રી કોણ હશે તેના નામને લઈ સસ્પેન્સ થયાવત છે, જોકે નવા મુખ્યમંત્રી કોણ હશે તે ત્રણ વાગ્યા બાદ માલૂમ પડશે પરતું અત્યારથી કાર્યકરોમાં નવામુખ્યમંત્રીને આવકારવા અને તેમના અભિવાદન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ નામો છે ખાસ ચર્ચામાં
નવા મુખ્યમંત્રા નામમોને લઈ અનેક નામ સામે આવ્યા છે એમાં સૌથી મોખરે નીતિન પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે, જ્યારે અન્ય નામોમાં સી.આર.પાટીલ, ગોરધન ઝડફિયા, મનસુખ માંડવિયા, આર.સી.ફળદુ સહિતને અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, તેમજ આ વખતે ગુજરાતમાં બે નાયબ મુખ્યમંત્રી તરીકેની પસંદગી કરવામાં આવી શકે તેવું મનાઈ રહ્યું છે.