આ રાશિના જાતકો પર શનિદેવ હંમેશા રહે છે પ્રસન્ન, શ્રાવણમાં આવતા શનિવારે શનિદેવની પૂજાકરવાથી મળેશે વિશેષ લાભ
જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારે કરો આ ઉપાય
શ્રાવણમાસમાં શનિદેવની પૂજા કરવાથી વિશેષ લાભ
આ રાશિના જાતકો પર શનિદેવ રહે છે પ્રસન્ન
શનિવારનો દિવસ ગ્રહોના ન્યાયાધીશ શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. શનિદેવની શ્રાવણ માસમાં પૂજા કરવી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શનિદેવની પૂજા કરવાની શનિનો દોષ દૂર થાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવ અમુક રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે. એવું માનવામાં આવે છે કે જે રાશિઓ પર શનિદેવ પ્રસન્ન થાય છે, તેમના કામ જીવનમાં સરળતાથી હલ થઈ જાય છે. ત્યારે આ વખતે શ્રાવણમાસનો પહેલો શનિવાર આવી રહ્યો છે ત્યારે આવો જાણીએ કઇ રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થશે.
તુલાઃ
તુલા રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. શનિદેવ તુલા રાશિમાં ઉચ્ચ છે. તુલા રાશિના જાતકોને શનિદેવની કૃપાથી શુભ ફળ મળે છે. આ રાશિના લોકો પ્રતિભાશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવની કૃપાથી આ રાશિના લોકોનું જીવન સુખ-સુવિધાઓથી ભરેલું રહે છે.
મકરઃ
મકર રાશિનો અધિપતિ ગ્રહ શનિદેવ સ્વયં છે. શનિદેવની વિશેષ કૃપાથી મકર રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળે છે. મકર રાશિના લોકો મહેનતુ માનવામાં આવે છે. આ રાશિના લોકોનું લગ્ન જીવન સુખમય રહે છે. આ રાશિના લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે.
કુંભઃ
કુંભ રાશિના લોકો પર હંમેશા શનિદેવની કૃપા રહે છે. શનિદેવની બીજી રાશિ કુંભ રાશિ છે. આ રાશિ પર શનિદેવ હંમેશા પોતાની કૃપા વરસાવે છે. શનિદેવની કૃપાથી આ રાશિના લોકોને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી થતી. સમાજમાં માન-સન્માન મળે છે.