બસવરાજ બોમ્મબઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે, બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ ભાજપ હાઈકમાન્ડે નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મબઈ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
બસવરાજ બોમ્મબઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે
ભાજપ હાઈકમાન્ડે કરી લીધી નવા મુખ્યમંત્રીની પસંદગી
બસવરાજ બોમ્મબઈ લિંગાયત સમૂદાયના કદ્દાવર નેતા
પૂર્વ સીએમ યેદિયુરપ્પાની નજીકના છે
બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ સીએમ પદે ઘણા નામો ચર્ચાઈ રહ્યાં હતા પરંતુ તેમાં સૌથી વધારે લિંગાયત ધારાસભ્ય અને યેદિયુરપ્પાના ખાસ ગણાતા બસવરાજ બોમ્મબઈનું નામ આગળ ચાલી રહ્યું હતું. બસવરાજ બોમ્મઈ આવતીકાલે સીએમ પદના શપથ લેશે.
બેંગ્લુરુની એક ખાનગી હોટલમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી અને તેમાં બીએસ યેદિયુરપ્પાની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મબઈના નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી હતી. બેઠકમાં ભાજપના કેન્દ્રીય પર્યવેક્ષક કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને જી.કિશન રેડ્ડી હાજર રહ્યાં હતા અને તેમની હાજરીમાં બસવરાજના નામ નક્કી કરાયું હતું.
Karnataka BJP Legislative Party elected Basavaraj S Bommai as Chief Minister of the State pic.twitter.com/Arrm4PiHTs
કોણ છે બસવરાજ બોમ્મઈ
કર્ણાટકની રાજનીતિ પર મજબૂત પકડ ધરાવનાર સૌથી મોટા લિંગયાત સમૂદાયમાંથી આવનાર બસવરાજ બોમ્મઈ પૂર્વ સીએમ યેદિયુરપ્પાની નજીકના છે. બોમ્મઈ યેદિયુરપ્પા સરકારમાં ગૃહમંત્રી હતા. 28 જાન્યુઆરી 1960ના રોજ જન્મેલા બસવરાજ બોમ્મઈ બોમ્મઈ કર્ણાટકના ગૃહ, કાયદા, સંસદીય બાબતના મંત્રી છે. તેમના પિતા એસ આર બોમ્મઈ પણ રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. મિકેનિકલ એન્જીનિયરીંગમાં સ્નાતક બસવરાજે જનતા દળ સાથે રાજકીય શરૂઆત કરી હતી. તેઓ ધારવાડમાંથી બે વખત 1998 અને 2004માં કર્ણાટક વિધાન પરિષદ માટે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેઓ જનતા દળ છોડી 2008માં ભાજપમાં સામેલ થયા હતા. તે વર્ષે તેઓ હાવેરી જિલ્લાની શિગગાંવમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
યેદિયુરપ્પાએ માગ મનાવી લીધી
યેદિયુરપ્પાએ પોતાના ખાસ બસવરાજ બોમ્મઈને કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનાવીને ભાજપને પોતાની તાકાત દેખાડી દીધી છે. યેદિયુરપ્પા પમ લિંગાયત સમૂદાયમાંથી આવે છે અને ભાજપને તેમને નારાજ કરવાનું પાલવે તેમ નથી. કર્ણાટકમાં લિંગાયત સમૂદાયની વસતી 17 ટકા છે અને જે કોઈ પણ પાર્ટીએ અહીં સત્તા ભોગવવી હોય તો ફરજિયાત રીતે લિંગાયત સમૂદાયનો ટેકો લેવો પડે તેવી સ્થિતિ છે. ભાજપ હાઈકમાન્ડે આ વાતને લક્ષ્યમાં લઈને જ બસવરાજ બોમ્મઈને નવા મુખ્યમંત્રી બનાવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સોમવારે યેદિયુરપ્પાએ આપ્યું હતું રાજીનામું
આ પહેલાં યેદિયુરપ્પાએ સોમવારે CM પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ દિવસે જ રાજ્યમાં ભાજપની સરકારને બે વર્ષ પૂરાં થયાં હતાં. એની સાથે જ CMના દાવેદારોની ચર્ચાઓ થવા લાગી છે. સૂત્રોનું કહેવું છે કે નવા મુખ્યમંત્રી લિંગાયત સમુદાય અને ધારાસભ્યોમાંથી હશે. આ પ્રમાણે જોઈએ તો કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈ અને ખનનમંત્રી એમઆર નિરાની સૌથી મોટા દાવેદાર છે